
IRCTC Tour Package: ભગવાન શિવ અને તેમના ભક્તો બંને માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ છે. જો તમે શિવ ભક્ત છો અને શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગો છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. પેકેજ હેઠળ તીર્થયાત્રીઓને મહાકાળના શહેર ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર અને માંડુના દર્શન કરાવવામાં આવશે. આ પેકેજમાં પાંચ રાત અને છ દિવસની ટૂરનો સમાવેશ થાય છે. જેમાં થ્રી સ્ટાર હોટલમાં રહેવાની પણ વ્યવસ્થા છે.
આ પેકેજમાં લખનૌથી ઈન્દોર સુધીની હવાઈ મુસાફરીનો સમાવેશ થાય છે, જે 8, 13, 15 અને 20 ઓગસ્ટે શરૂ થશે.
આઈઆરસીટીસીના ચીફ રિજનલ મેનેજર અજિત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, હરસિદ્ધિ મંદિર, કાલભૈરવ મંદિર, રામ ઘાટ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મહેશ્વર કિલ્લો, અહિલ્યામાતા રાજગદ્દી, રાજેશ્વરી નગરપાલિકા, મણ્ડુપટ્ટી, મણિપુર, મણ્ડુપંથની મુલાકાત લેશે. ઉજ્જૈનમાં જહાજમહેલ, હિંડોલમહાલ, ઈકો-પોઈન્ટ, નીલકંઠ મંદિર, ખજરાના ગણેશ મંદિર, લાલબાગ પેલેસ, પિત્રુ પર્વત અને બિજાસન મંદિરની મુલાકાત લેવાની તક મળશે.
આ પણ વાંચો : IRCTC Tour Package : હનીમૂન માટે બેસ્ટ છે IRCTCનું આ રોમેન્ટિક બાલી પેકેજ, માત્ર આટલા રુપિયામાં કરો ટિકિટ બુક
પેકેજની કિંમત ત્રણ વ્યક્તિઓ માટે 30,750 રૂપિયા, બે વ્યક્તિ માટે 33,100 રૂપિયા અને એક વ્યક્તિ માટે 43,400 રૂપિયા છે. બે વર્ષ સુધીના બાળકો ફ્રીમાં જઈ શકશે, જ્યારે તેમની ઉપરના બાળકો માટેનું પેકેજ રૂ. 26,050 (બેન્ડ સહિત) અને બેડ વગર રૂ. 18,300 છે. પેકેજના બુકિંગ માટે, તમે પર્યતન ભવન, ગોમતી નગર, લખનૌ અને કાનપુર ખાતે IRCTC ઑફિસની મુલાકાત લઈ શકો છો અથવા IRCTC વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
શ્રાવણ મહિનો શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ મહિનામાં મહાદેવજીની ઉપાસના શ્રેષ્ઠ પરિણામ આપે છે. શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરુ થશે અને 15 સ્પેટમ્બર સુધી ચાલશે. આ મહિનો શિવના ભક્તો માટે ખુબ મહત્વનો હોય છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો