AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrating Foods : ઉનાળામાં ડિહાઇડ્રેશનને રોકવામાં મદદ કરશે આ 6 ફૂડ્સ

Hydrating Foods : ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં પાણીયુક્ત ખોરાક ખાવાની અને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તમે પાણીથી ભરપુર ક્યા ફૂડ્સ ડાયટમાં સામેલ કરી શકો છો, ચાલો જાણીએ.

Hydrating Foods : ઉનાળામાં ડિહાઇડ્રેશનને રોકવામાં મદદ કરશે આ 6 ફૂડ્સ
water rich foodsImage Credit source: Pixabay.Com
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 10:06 PM
Share

ઉનાળાની ઋતુ (Summer season)  આવી ગઈ છે. આવી સ્થિતિમાં, તમારા આહારનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ સિઝનમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનની સમસ્યા સામાન્ય છે. હાઇડ્રેટેડ રહેવા માટે પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. દરરોજ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. કેટલીકવાર માત્ર પાણી પીવું પૂરતું નથી, પરંતુ પાણીયુક્ત ખોરાક પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે પાણીથી ભરપૂર ખોરાક પણ લઈ શકો છો. આમાં તરબૂચ, ટામેટા, કાકડી, સ્ટ્રોબેરી વગેરે જેવા ફળોનો સમાવેશ થાય છે. આવો જાણીએ કે તમે પાણીથી ભરપૂર અન્ય કયા ખોરાકનું  (Hydrating Foods) સેવન કરી શકો છો.

સફરજન

સફરજનમાં લગભગ 80 ટકા પાણી હોય છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ચયાપચયને વેગ આપે છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ટમેટા

ટામેટાંમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેનો સામાન્ય રીતે રસોઈમાં ઉપયોગ થાય છે. ટામેટામાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. તે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. તે ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

કાકડી

કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેમાં પોટેશિયમ હોય છે. તે હીટસ્ટ્રોકથી બચાવે છે. કાકડી મગજ માટે પણ ફાયદાકારક છે.  કાકડીમાં ફિસેટિન નામનું એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ હોય છે. તે મગજની સારી કામગીરીમાં મદદ કરે છે.

તરબૂચ

આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ગમતા ફળોમાંનું એક છે. તરબૂચમાં 90 ટકા પાણી હોય છે. તે હીટસ્ટ્રોક સામે લડવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ફળ હૃદયની બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી પાણીથી ભરપૂર હોય છે. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેમાં ફાઈબર, વિટામિન સી, ફોલેટ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ છે. આ તમામ પોષક તત્વો ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે.

મશરૂમ

મશરૂમ વિટામિન B2 અને D જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તમે આ શાકભાજીનું નિયમિત સેવન કરી શકો છો. તે થાક ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :  Air Pollution: હવા પ્રદૂષણથી થાય છે સાઈનસ, સ્ટ્રોક અને ફેફસાના રોગો, જાણો શું કહે છે નિષ્ણાંત

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">