
નિષ્ણાતોના મુજબ, પિત્તળમાં તાંબુ અને ઝિંકનું મિશ્રણ હોય છે. જે શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. જ્યારે તમે પિત્તળના વાસણમાં ચા અથવા ખોરાક બનાવો છો, ત્યારે ખૂબ નાની માત્રામાં આ તત્ત્વો તેમાં મળી શકે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને તાંબું શરીરમાં એન્ઝાઇમના યોગ્ય કાર્ય અને આયર્નના શોષણમાં મદદરૂપ બને છે. નિયમિત રીતે પિત્તળના વાસણોનો ઉપયોગ કરવાથી શરીરને થોડો વધારાનો પોષણ લાભ મળી શકે છે.
પિત્તળના વાસણો એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. તાંબુ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આનો અર્થ એ છે કે પિત્તળના વાસણોમાં બનાવેલો ખોરાક સલામત હોઈ શકે છે. એલ્યુમિનિયમમાં આ ગુણધર્મનો નથીં.
પિત્તળના વાસણમાં બનેલો ખોરાક પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ છે. તાંબુ પેટ અને આંતરડાના કાર્યને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે ગેસ, કબજિયાત એસિડિટી જેવી સમસ્યાઓ ઘટાડવામાં ફાયદાકારક થઈ શકે છે. નિષ્ણાતોના મુજબ, તાંબાના સંપર્કમાં આવેલું પાણી કે ખોરાક મેટાબોલિઝમ સુધારવામાં પણ મદદ કરે છે. તેથી પિત્તળના વાસણોમાં ચા કે ખોરાક બનાવવો પાચન માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.
પિત્તળના વાસણોમાં રાસાયણિક પ્રતિક્રિયાઓનું ઓછું જોખમ રહે છે. પિત્તળનું વાસણ અંદરથી ટીન એટલે કે કલાઈ કરેલું હોય છે. એલ્યુમિનિયમ એસિડિક પદાર્થોના સંપર્કમાં આવવા પર રાસાયણિક પ્રતિક્રિયા આપે છે. ચામાં જ્યારે દૂધ, ખાંડ, આદુ અને એલચી જેવા ઘટકો ઉમેરવામાં આવે છે ત્યારે તે સહેજ એસિડિક બની શકે છે.
ઘણા લોકોનો અનુભવ છે કે પિત્તળના વાસણમાં બનેલી ચા અને ખોરાકનો સ્વાદ સંતુલિત રહે છે. પિત્તળ, ખોરાકના સ્વાદને સારી રીતે જાળવી રાખે છે. જેથી દરેક સ્વાદનો અલગ આનંદ મળે છે.
પિત્તળના વાસણો ટકાઉ હોય છે. તે લાંબા સમય સુધી ચાલે છે. તેથી તેને વારંવાર બદલવાની જરૂર નથી. એલ્યુમિનિયમના વાસણોનું આયુષ્ય પિત્તળ કરતાં ઓછું હોય છે. વધુમાં, પિત્તળનો ઉપયોગ આપણા પરંપરાગત વારસા સાથે જોડાયેલો છે.
પિત્તળના વાસણોના ઘણા ફાયદા છે. ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ખાતરી કરો કે વાસણ ટીન-કોટેડ હોય એટલે કે અંદરથી કલાઈ કરેલી હોય. કારણ કે કલાઈ વગરના પિત્તળમાં એસિડિક ખોરાક રાંધવાથી શરીરને નુકસાન થઈ શકે છે. વાસણોના ગુણધર્મો જાળવવા માટે સમયાંતરે તેને સાફ કરવું અને ફરીથી કોટ કરવું પણ મહત્વપૂર્ણ છે.