
એલોવેરા જેલનો ઉપયોગ : તાજી એલોવેરા જેલ લો અને તેને તમારા હાથ પર લગાવો. આખી રાત રહેવા દો અને સવારે ધોઈ લો. તે શુષ્ક ત્વચાને મોઈસ્ચર આપે છે અને કાળાશ ઘટાડે છે.

નારિયેળ તેલથી માલિશ કરો : રોજ રાત્રે સૂતા પહેલા હાથ પર હળવું નારિયેળ તેલ લગાવીને મસાજ કરો. તેનાથી હાથની કાળાશથી પણ રાહત મળે છે. તે ત્વચાને નરમ બનાવે છે અને રંગ સુધારે છે.

ગુલાબજળ અને ગ્લિસરીન : ગુલાબજળ અને ગ્લિસરીન સમાન માત્રામાં મિક્સ કરીને બોટલમાં ભરી લો. તેને રોજ તમારા હાથ પર લગાવો. તે શિયાળામાં હાથને શુષ્કતાથી બચાવે છે.
Published On - 7:23 am, Sun, 29 December 24