
હોળીના દિવસે તમારે એવા રંગોથી હોળી રમાઈ છે કે રંગો નીકળવાનું નામ નથી લેતા. જે તમારી ત્વચાને નુકસાન ન પહોંચાડે, તેમ છતાં રંગોથી બચવું મુશ્કેલ છે. હોળી રમ્યા પછી ત્વચા પર ફોલ્લીઓ, લાલાશ અને બળતરાથી રાહત મેળવવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. તો ચાલો જાણીએ.

નાળિયેર તેલ અથવા દેશી ઘી : રંગ દૂર કર્યા પછી તમારા ચહેરાને નારિયેળ તેલ અથવા દેશી ઘીથી મસાજ કરો. આ તમને ફોલ્લીઓ અને તેના કારણે થતી બળતરાથી ઘણી હદ સુધી રાહત આપશે. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે અને તેને નિસ્તેજ અથવા શુષ્ક થવાથી અટકાવશે.

એલોવેરા કરશે કમાલ : મોટાભાગના લોકો જાણે છે કે એલોવેરા ત્વચા માટે કેટલું ફાયદાકારક છે. જો રંગ દૂર કર્યા પછી ત્વચા પર ખંજવાળ અથવા લાલાશ હોય, તો તાજી એલોવેરા જેલ લગાવો. તેનાથી તમને ત્વચાની ખંજવાળમાંથી તાત્કાલિક રાહત મળશે અને લાલાશ પણ ઓછી થશે.

દહીં અને ચણાના લોટ : રંગ દૂર કર્યા પછી જો તમને ત્વચા પર બળતરા થાય છે, તો ચણાનો લોટ, દહીં અને એલોવેરા જેલની સ્મૂધ પેસ્ટ બનાવીને લગાવો. થોડી વાર રહેવા દો અને જ્યારે 75 થી 80 ટકા સુકાઈ જાય, ત્યારે ત્વચાને સાદા પાણીથી સાફ કરો. તેનાથી ત્વચાની લાલાશ અને બળતરા ઓછી થશે અને ત્વચા પર રહેલો રંગ પણ દૂર થશે અને ત્વચા પણ મુલાયમ બનશે.

કોલ્ડ કંમ્પ્રેસ રાહત આપશે : રંગ દૂર કર્યા પછી જો ચહેરા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ તેમજ ખંજવાળની સમસ્યા હોય, તો કોલ્ડ કંમ્પ્રેસ તમને ઘણી રાહત આપશે. આ માટે તમે આઈસ પેક લઈ શકો છો અથવા બરફનો ટુકડો કપડામાં નાખીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો.