30 વર્ષની ઉંમર પછી આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન, ચહેરાથી લાગશો એકદમ યુવાન

|

Jul 09, 2022 | 9:44 PM

Skin Care Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુંદર અને આકર્ષક દેખાય. લોકો 30 વર્ષની ઉંમર પછી પણ યુવાન જેવા દેખાવાની ઈચ્છા રાખતા હોય છે.

30 વર્ષની ઉંમર પછી આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન, ચહેરાથી લાગશો એકદમ યુવાન
Skincare Tips
Image Credit source: file photo

Follow us on

Take care of your skin after the age of 30: દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુંદર અને આકર્ષક દેખાય. લોકો 30 વર્ષની ઉંમર પછી પણ યુવાન જેવા દેખાવાની ઈચ્છા રાખતા હોય છે. યુવાનીમાં આપણી ત્વચા ટાઈટ રહે છે. ત્વચાના છિદ્રો નાના રહે છે, પરંતુ 30 વર્ષની ઉંમર પછી ત્વચાના છિદ્રો મોટા થવા લાગે છે. આપણી ત્વચા ઢીલી પડવા લાગે છે અને જો યોગ્ય સમયે આપણે ત્વચાની કાળજી ના કરીએ તો ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને ચહેરો બગડવા લાગે છે. તેથી યોગ્ય સમયે ત્વચાની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કેટલીક ખૂબ જ સરળ ટિપ્સ (Skincare Tips), જે તમારા ચહેરાની ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રાત્રે સૂતા પહેલા કરો આ કામ

રાત્રે સૂતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો, આ માટે ફેસ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકાય છે. તમે ચહેરા પર વિટામિન સી ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચા ટાઈટ રહે છે અને સુંદરતા જળવાઈ રહે છે.

સવારે ઊઠીને કરો આ કામ

સવારે ઉઠ્યા પછી લગભગ 2 મિનિટ સુધી તમારા ચહેરા પર હાથથી મસાજ કરો. તેનાથી ચહેરાના રોમછિદ્રોની સાઈઝ ઓછી થાય છે.

આ પણ વાંચો

સ્કિન કેર રૂટિન કરો ફોલો

નિષ્ણાતોના મતે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ચહેરાને દૂધથી સાફ કરો, જો તમારી ત્વચા ઓઈલી હોય તો થોડા ગરમ દૂધનો ઉપયોગ કરો અને જો ત્વચા શુષ્ક હોય તો કાચા દૂધથી ચહેરો સાફ કરો. તેનાથી તમારી ત્વચા ચમકતી રહેશે અને ત્વચાના રોમછિદ્રો ડ્રાય નહીં થાય.

ત્વચાને રાખો હાઈડ્રેટેડ

ત્વચા શુષ્ક ન થવા તે માટે સતત પાણી પીતા રહો. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આપણા શરીરમાં 70% પાણી હોવું જરૂરી છે. આ સિવાય એલોવેરા જેલ, ગુલાબજળ વગેરેનો ઉપયોગ કરો.

સનસ્ક્રીન છે જરૂરી

તમે આખા દિવસમાં જ્યાં પણ હોવ દર 3 કલાકે તમારા ચહેરા પર સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો. આ કારણે સૂર્યના કિરણો ચહેરાને નુકસાન પહોંચાડી શકશે નહીં અને તમારા ચહેરાની સુંદરતા જળવાઈ રહેશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article