પુલવામા આતંકી હુમલાનો જવાબ આપતાં ભારતે બાલાકોટમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે ભારતે પોતાની અન્ય સરહદો પણ સુરક્ષીત કરી દીધી છે. જેમાં ભારત અને મ્યાનમારની સેના એ ભારત-મ્યાનમાર બોર્ડર પર 17 ફેબ્રુઆરીથી લઇ 2 માર્ચ સુધી એક મેગા ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓનો પૂર્વોત્તરમાં ભારતના એક મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પર હુમલાનો મંસૂબો નિષ્ફળ કરી દીધો.
14 ફેબ્રુઆરીના રોજ પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર હુમલા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે સતત તણાવ પૂર્ણ સ્થિતિ છે. આ દરમિયાન 26 ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાનમાં ઘૂસી બાલાકોટ પર હુમલો કરી જૈશના આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા.
જે સમયગાળામાં જ ભારતીય સેનાએ મ્યાનમારની અરાકાન આર્મી પર હુમલો કર્યો હતો. આ આર્મીને કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મી (KIA)નું વરદહસ્ત પ્રાપ્ત છે. આ સંગઠનને મ્યાનમારની સરકારે આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. અરાકાન આર્મી મેગા કાલાદાન પ્રોજેક્ટ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યું હતું. આ એક ટ્રાંઝિટ પ્રોજેક્ટ છે જે કોલકત્તાના હલ્દિયા પોર્ટને મ્યાનમારના સિત્વે પોર્ટ (Sitwe port) સાથે જોડશે.
ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મિઝોરમ મ્યાનમાર સાથે જોડાશે. આ પ્રોજેક્ટ કેટલો અગત્યનો અંદાજો એ પરથી લગાવી શકો છો કે તેનાથી મ્યાનમારથી મિઝોરમનું અંતર 1000 કિલોમીટર સુધીનું હશે. આ સિવાય બંને સ્થળોની વચ્ચે ટ્રાવેલ ટાઇમમાં પણ કમ સે કમ ચાર દિવસનો ઘટાડો આવશે.
સેનાના સૂત્રોના મતે ડિપ્લોયમેંટ અને કવર કરવામાં આવેલા એરિયાના મામલામાં આ પોતાની રીતે પહેલું ઓપરેશન હતું જો કે બે સપ્તાહ સુધી ચાલ્યું અને 2 માર્ચના રોજ ખત્મ થયું. રિપોર્ટના મતે અરાકાન આર્મી અને KIAને ચીનનું સમર્થન પ્રાપ્ત છે.
આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલામાં અમદાવાદના 1 વ્યકિતને વાગી ગોળી, તેમના પુત્રને મળવા ગયા હતા ક્રાઈસ્ટચર્ચ
આ ઓપરેશનમાં ઉગ્રવાદીઓના ડઝનબંધ અડ્ડાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધા છે. આ જમીન પર હવે મ્યાનમારની સેનાનો કબ્જો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં KIAએ 3000 છોકરાઓને ટ્રેંડ કર્યા છે. આ સંગઠન મ્યાનમારના કાચિન પ્રાંતમાં સક્રિય છે. કાચિન પ્રાંત ચીનની સરહદે આવેલ છે, તે દ્રષ્ટિથી ચીન માટે તેમને ટ્રેંડ કરવા સરળ હતા.
રિપોર્ટના મતે આ 3000 ઉગ્રવાદી મિઝોરમના લવાંગતાલા જિલ્લામાં પોતાના ઠેકાણા બનાવાની કોશિષ કરી રહ્યાં હતા. તેમણે અહીંથી ખદેડવા માટે જ સેના એ ઓપરેશન ચલાવ્યું હતું. ઓ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની સ્પેશ્યલ ફોર્સ, અસમ રાઇફલ્સ, બીજી ઇંફ્રેંટી યુનિટ્સ સામેલ હતા. આ ઓપરેશનમાં હેલિકોપ્ટર્સ, ડ્રોન્સ અને બીજા સર્વિલન્સ સાધનોનો ઉપયોગ કરાયો હતો.
આપને જણાવી દઇએ કે 9 માર્ચના રોજ કર્ણાટકની એક રેલીને સંબોધિત કરતાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પાંચ વર્ષમાં ઇન્ડિયન આર્મી એ ત્રણ વખત પોતાની સરહદથી બહાર જઇ એર સ્ટ્રાઇક કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ બે સ્ટ્રાઇક અંગે જ માહિતી આપશે. ગૃહમંત્રીએ ત્રીજા એર સ્ટ્રાઇક અંગે માહિતી આપવાની ના પાડી દીધી હતી. હવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ હુમલા અંગે કદાચ ગૃહમંત્રી વાત કરી રહ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:17 am, Sat, 16 March 19