અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કોરોના વાઈરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના ડોક્ટર્સ સાથે વાત કરી હતી. પ્રિયંકાએ WHOના ડોક્ટર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને સવાલ કર્યા હતા. આ દરમિયાન કોરોના વાઈરસ અંગે લોકોના ભ્રમ તોડવા ડોક્ટર્સે પ્રયત્ન કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્રિયંકાએ સવાલ કર્યો કે શું કોરોના વાઈરસ હવાની સાથે ફેલાઈ છે? આ પ્રશ્નનો જવાબ ડૉક્ટરે આપ્યો અને કહ્યું કે કોરોના વાઈરસ હવાની સાથે ફેલાતો નથી પણ જો કોઈ છીંક ખાઈ કે ઉધરસ ખાઈ ત્યારે તેમના નાકમાંથી જે પાણી નીકળે છે તેના દ્વારા કોરોના વાઈરસ ફેલાય છે. આ ઉપરાંત જાણકારી આપી કે આ વાઈરસ ખાવાથી પણ ફેલાતો નથી. આ વાઈરસ માત્ર જે લોકોને કોરોના થયો છે તેના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે.
આ ઉપરાંત ફક્ત શરદી થવી અને નાકનું વહેવું એજ વાઈરસનું લક્ષણ નથી. આ વાઈરસના પોઝિટિવ કેસમાં સખત તાવ અને ઉધરસ જોવા મળી હતી. જે લોકોને આ વાઈરસ થાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આમ ડોક્ટર્સે જાણકારી આપી કે હવાની સાથે આ વાઈરસનો ફેલાવો થતો નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]