પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

|

Mar 09, 2019 | 2:48 AM

પાકિસ્તાન સામે કેન્દ્ર સરકાર તરફથી કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે પંજાબ સરકાર પણ કડક વલણ અપનાવવા જઇ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ રાવી નદી પર બની રહેલા ડેમનું પાણી પાકિસ્તાનને કેટલીક માત્રામાં ઓછું મળે તેવી તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબ સરકારે હાલમાં વર્ષોથી અટકી ગયેલા શાહપુર કાંડી ડેમની કામગીરી શરૂ કરાવી દીધી […]

પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

Follow us on

પાકિસ્તાન સામે કેન્દ્ર સરકાર તરફથી કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે પંજાબ સરકાર પણ કડક વલણ અપનાવવા જઇ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ રાવી નદી પર બની રહેલા ડેમનું પાણી પાકિસ્તાનને કેટલીક માત્રામાં ઓછું મળે તેવી તૈયારીઓ કરી રહ્યા છે.

પંજાબ સરકારે હાલમાં વર્ષોથી અટકી ગયેલા શાહપુર કાંડી ડેમની કામગીરી શરૂ કરાવી દીધી છે. જેના કારણે પાકિસ્તાન તરફ જતો રાવી નદીના પાણીના વહેણમાં અંશત: ઘટાડો થશે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ જણાવ્યું કે, રૂ. 2073 કરોડના ખર્ચે બનવા જઇ રહેલો આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે એકદમ તૈયાર છે. જે માત્ર રાજ્ય માટે જ પાણીનો સ્ત્રોત નહીં બને, પરંતુ પાકિસ્તાન તરફ પાણીના વહેણને રોકવા માટે પણ કેટલીક હદ સુધી મદદ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છેલ્લા ઘણાં સમયથી આ પ્રોજ્કટને લઇને અમુક કારણોસર બંધ કરવામાં આવેલા આ ડેમને જમ્મુ-કાશ્મીર સાથે વાતચીત કરીને જલ્દીથી જલ્દી શરૂ કરી દેવામાં આવશે તેવી પણ મુખ્યમંત્રીએ ખાત્રી આપી છે. જો આમ થશે તો પાકિસ્તાનને પાણી માટે વલખાં મારવા પડશે.

TV9 Gujarati

 

પંજાબ સરકારનું માનવું છે કે હાલમાં પાકિસ્તાન કરતાં પણ પંજાબના ખેડૂતોને પાણીની વધુ જરૂર છે. જેના માટે આ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને પણ સિંચાઇ માટે પ્રમાણસર પાણી મળી રહે તે માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. બીજી તરફ પુલવામાં હુમલા બાદથી પાકિસ્તાનને આર્થિકથી લઇ જળસ્ત્રોત માટે ભારત તરફથી સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:48 am, Sat, 9 March 19

Next Article