મહારાષ્ટ્રની રાજનીતિમાં મનસે અને ભાજપની એક મીટિંગથી ફરીથી ઉથલપાથલ જોવા મળશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા. જો કે રાજ ઠાકરે અને ભાજપની મીટિંગમાં આવી જ કોઈ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ ઠાકરે અને તેમની પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન ના થઈ શકે કારણ કે તેમની પાર્ટી અને મનસેની વિચારધારા અલગ છે.
આ પણ વાંચો : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા વિદ્યાર્થીઓના સમર્થનમાં, કહ્યું ‘JNUના VCને હટાવવા જોઈએ’
મનસેના એક વરિષ્ઠ નેતાએ આ અંગે કહ્યું હતું કે અમારી પાર્ટીનું એક જૂથ એવું ઈચ્છી રહ્યું છે કે ભાજપની સાથે મનસે ગઠબંધન કરે. મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સ્થાપના બાદ સમીકરણ બદલાયા છે. મનસે અને ભાજપ સત્તામાંથી નથી તો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ગઠબંધનથી સરકાર સંભાળી રહ્યાં છે. આમ રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મીટીંગથી કોઈ નવા રાજકીય ઉથલપાથલની શક્યતા નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો