આજે લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોથી જનતા સાથે સીધો સંવાદ કરશે. આજે સાંજે 5 વાગે તેઓ તમામ લોકસભા વિસ્તારોમાં એક સાથે મેં ભી ચોકીદાર અભિયાનનો આરંભ થશે.
જેના માટે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓમાં યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરબીએસ કોલેજ ખનદારી આગ્રાથી આ અભિયાન સાથે જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે ઝાંસીથી આ કાર્યક્રમમાં ભાગ લેશે. ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બાગપતમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. બપોરે 1 વાગે ગાંધી સ્મારક ઈન્ટર કોલેજમાં સભાને સંબોધન કરશે. ભાજપ ઉમેદવાર ડો.સત્યપાલ સિંહના સમર્થનમાં સભા સંબોધિત કરશે.
ભાજપના ઉમેદવાર જયા પ્રદા રવિવારે રામપુરમાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેમનો રોડ શો થશે. સાંજે જયા પ્રદા ભાજપના ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમમાં ભાગ લેશે.
કોંગ્રેસના રાફેલના મોદી સરકારને ઘેરવા માટે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા છે. રાહુલ ગાંધી તમામ સભામાં ભાજપને ઘેરતાં રહે છે. જેના પર ટાર્ગેટ કરવા માટે ચોકીદારના નારા પર જ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે. ચોકીદાર શબ્દનો પ્રયોગ કરી પીએમ મોદીએ કોંગ્રેસને જ ઘેરવા પ્રયત્ન કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:33 am, Sun, 31 March 19