આ અઠવાડિયે 2 મહત્વના તહેવાર, જાણો વિજયા એકાદશી અને મહાશિવરાત્રી વિશે

|

Jan 16, 2021 | 4:21 PM

ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ એકાદશી અને ચતુર્દશી બંને જ ખાસ મહત્વ ધરાવે છે. આ અઠવાડિયે બંને તહેવાર આવી રહ્યાં છે. કૃષ્ણ પક્ષ એકાદશીને વિજયા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. જે આ અઠવાડિયે 19 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને પુરાણોમાં બંનેનું અલગ અલગ મહત્વ છે. બંને દિવસે અલગ […]

આ અઠવાડિયે 2 મહત્વના તહેવાર, જાણો વિજયા એકાદશી અને મહાશિવરાત્રી વિશે

Follow us on

ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ એકાદશી અને ચતુર્દશી બંને જ ખાસ મહત્વ ધરાવે છે. આ અઠવાડિયે બંને તહેવાર આવી રહ્યાં છે. કૃષ્ણ પક્ષ એકાદશીને વિજયા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. જે આ અઠવાડિયે 19 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને પુરાણોમાં બંનેનું અલગ અલગ મહત્વ છે. બંને દિવસે અલગ અલગ રીતે વ્રત પણ રાખવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

વિજયા એકાદશી

આ પણ વાંચો :   મહાશિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભગવાન શિવની પૂજા? જાણો શુભ મૂર્હુત વિશે

હિન્દુ પુરાણોમાં વિજયા એકાદશીનું વ્રત સર્વોત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી તમામ પાપનો નાશ થાય છે અને વિજયા એકાદશી નામ હોવાથી દરેક કામમાં વિજય મળે છે તેવી પણ વાયકા છે. 19 ફેબ્રુઆરીના રોજ આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. વિજયા એકાદશી સાથે ભગવાન રામ જોડાયેલા છે. આ દિવસે વકદાલભ્ય ઋષિએ ભગવાન રામના સેનાપતિઓને વ્રત કરવા માટે કહ્યું હતું. કારણ કે ભગવાન રામ લંકા વિજય માટે પોતાની સેના સાથે જઈ રહ્યાં હતા. ઋષિએ વિજય માટે આ સેનાને કહે છે અને સેના આ વ્રત બાદ વિજય સાથે પરત આવે છે. આ ઉપરાંત આ દિવસે વ્રત કરવાથી ઘણું પુણ્ય મળે છે અને તમામ મનોકામનાઓ પુરી થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહાશિવરાત્રી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈશાન સંહિતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોર્તિલિંગ સ્વરુપે પ્રક્ટ થયા હતા. આથી આ પર્વને મહાશિવરાત્રી સ્વરૂપે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં પાપનું નાશ થાય છે. આથી તમામ વ્રતમાં મહાશિવરાત્રીના વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવે છે. આમ 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવશે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. આમ આ અઠવાડિયામાં ભક્તો માટે બે અલગ અલગ તહેવારો આવી રહ્યાં છે. પાવનકારી બંને તહેવારો પુરાણોમાં પોતાનું એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:01 pm, Tue, 18 February 20

Next Article