શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત

|

Dec 08, 2020 | 11:58 AM

28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના બાંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો. ભગતસિંહનો પરિવાર અંગ્રેજોની સામે ટક્કર લઈ રહ્યો હતો. ભગતસિંહ પણ આ માહોલની વચ્ચે ક્રાંતિકારી બની ગયા. તેઓએ અંગ્રેજોની સામે લડતા રહ્યાં અને એવા કામો કર્યા કે જે ઈતિહાસ બની ગયો. આજે પણ લોકો ભગતસિંહના યોગદાનને યાદ કરે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત

Follow us on

28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના બાંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો. ભગતસિંહનો પરિવાર અંગ્રેજોની સામે ટક્કર લઈ રહ્યો હતો. ભગતસિંહ પણ આ માહોલની વચ્ચે ક્રાંતિકારી બની ગયા. તેઓએ અંગ્રેજોની સામે લડતા રહ્યાં અને એવા કામો કર્યા કે જે ઈતિહાસ બની ગયો. આજે પણ લોકો ભગતસિંહના યોગદાનને યાદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?

ભગતસિંહે પોતાનું પ્રાથમિક શિક્ષણ તો ગામમાં જ મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ લાહોરમાં આવી ગયા હતા. ગામમાં ભગતસિંહનો પરિવાર રહેતો હતો. ભગતસિંહ ખાસ કરીને પોતાના દાદાને દરેક વાત પત્ર લખીને જણાવતા હતા. ભગતસિંહે 22 જૂલાઈ, 1918ના રોજ એક પત્ર લખ્યો જે તેમના દાદાના નામે લખવામાં આવી હતો. જેમાં ભગતસિંહ લખે છે કે…


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પૂજ્ય બાબાજી, નમસ્તે!

તમારો પત્ર વાંચીને સારું લાગ્યું, હાલ પરિક્ષા ચાલુ હોવાથી મેં તમને કોઈ જ પત્ર લખ્યો નથી. મારા અંગ્રેજી અને સંસ્કૃત વિષયના પરિણામ આવી ગયા છે. સંસ્કૃતમાં મારે 150માંથી 110 માકર્સ આવ્યા છે તો અંગ્રેજીમાં 150માંથી 68 માર્કસ. સ્કૂલમાં 150માંથી 50 માર્કસ લાવનાર પાસ થઈ જાય છે આથી 68 માર્કસ લાવીને અંગ્રેજીમાં પાસ થઈ ગયો છું. તમે કોઈ ચિંતા ન કરશો. અન્ય પરિક્ષાના પરિણામ હજુ બાકી છે. 8 ઓગસ્ટના રોજ પ્રથમ રજા પડશે, તમે અહિંયા ક્યારે આવશો તે જણાવજો.

                                                                                                                                                                                                      તમારો તાબેદાર
                                                                                                                                                                                                           ભગતસિંહ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પત્ર ઉર્દુ ભાષામાં લખ્યો હતો અને તેને સાચવવામાં પણ આવ્યો છે. આમ ભગતસિંહ પહેલાથી જ ભણવામાં ખાસ હોંશિયાર હતા અને તેઓએ પોતાની જિંદગીમાં આ પહેલો પત્ર દાદાજીના નામે લખ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:50 am, Fri, 27 September 19

Next Article