જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબને એક નોટિસ મળી છે. આ નોટિસમાં ગૃહ મંત્રી અમિત શાહ અને આરએસએસ પર ટિપ્પણી કરવાને લઈને મોકલવામાં આવી છે. અલીગઢ સિવિલ કોર્ટના એક વકીલે આ નોટિસ હબીબને મોકલી છે અને તેમના ભાષણને દેશની અંખિડતતાની વિરુદ્ધ ગણાવી 7 દિવસમાં જવાબ માગ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : લાંચ પ્રકરણમાં ફરાર PSI બારોટને પકડવા ACBનું કલોલ-મહેસાણામાં સર્ચ
જાણો શું છે વિવાદ?
ભારતમાં સીએએ કાયદાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. એક ભાષણનું આયોજન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હબીબે અમિત શાહ વિશે ટિપ્પણી કરીને કહ્યું કે શાહ શબ્દ ફારસી હોવાથી અમિત શાહે આ શબ્દને હટાવી દેવો જોઈએ. આ સિવાય આરએસએસની સ્થાપના મુસ્લિમો પર હુમલાને લઈને કરવામાં આવી છે. આમ આ ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આ સિવાય સરકારના સ્વચ્છતા અભિયાનમાં ગાંધીજીના ચશ્માને લઈને પણ ટિપ્પણી કરી હોય તેવા અહેવાલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોટિસમાં વકીલે કહ્યું કે તેઓએ તમામ ન્યૂઝપેપરમાં આ ટિપ્પણીઓને વાંચી છે. તેઓએ હબીબની પાસેથી આ અંગે 7 દિવસમાં જવાબ માગ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો ઈતિહાસકાર હબીબ 7 દિવસમાં જવાબ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઈતિહાસકારની કથિત ટિપ્પણીઓને સીએએ કાયદાને લઈને હોય તેવું જાણવા મળી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]