ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ, સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી
ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ છે. જૂનાગઢની આઠ સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી છે..,, આ સંસ્થાઓએ રોપ-વેની ટિકિટના ભાવ 300થી 400 રૂપિયા જ રાખવાની માગણી કરી છે. જો કંપની ટિકિટના ભાવ ન ઘટાડે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. યાત્રાધામમાં લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા […]
ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ છે. જૂનાગઢની આઠ સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી છે..,, આ સંસ્થાઓએ રોપ-વેની ટિકિટના ભાવ 300થી 400 રૂપિયા જ રાખવાની માગણી કરી છે. જો કંપની ટિકિટના ભાવ ન ઘટાડે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. યાત્રાધામમાં લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા પૂરી પાડવામાં આવે તેવી પણ માગણી કરી છે.