ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર નર્મદા બ્રિજને જોડતો માર્ગ બિસ્માર બનવા સાથે બોટલનેકની પરિસ્થિતિના કારણે ત્રણ દિવસથી ટ્રાફિક જમણી પરિસ્થિતિએ વાહનચાલકોને મુશ્કેલીમાં મુક્યા છે. વડોદરાથી મુંબઈ તરફ જતા ટ્રાફિકમાં ૧૦ કિમિ સુધી વાહનોની કતાર પડતા નબીપુરથી નર્મદા બ્રિજ પસાર કરવામાં ૪ કલાકથી વધુ સમય વેડફાઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભરૂચમાં ટ્રાફિકની કાયમી બની રહેલી સમસ્યા હલ ન કરતા વાહનચાલકો પણ રોષ ઠાલવી રહ્યા છે . જૂનો સરદાર બ્રિજ થોડા થોડા સમયે બંધ કરી દેવાની નોબત આવવાના કારણે એકજ બ્રિજ ઉપર મુખ્ય ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે. રોજના હજારો વાહનોની સંખ્યા સામે સાંકડા માર્ગના કારણે ઇંધણ અને સમય બંનેનો વ્યય થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો