ભારતમાં ગુનો કર્યા પછી નેપાળ કેમ ભાગી જાય છે ગુનેગારો ? નેપાળથી તેમને પકડવા કેમ મુશ્કેલ ?

નેપાળ ગુનેગારો અને આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે. કારણ કે તેઓ ત્યાં રહે છે અને ગુનો કરવા ભારત આવે છે. અથવા ગુનો કરીને ભાગી જાય છે. મોટાભાગના ગુનેગારો જાણે છે કે નેપાળ પહોંચ્યા પછી તેમને પકડવા મુશ્કેલ બની જશે.

ભારતમાં ગુનો કર્યા પછી નેપાળ કેમ ભાગી જાય છે ગુનેગારો ? નેપાળથી તેમને પકડવા કેમ મુશ્કેલ ?
Indo-Nepal Border
| Updated on: Oct 19, 2024 | 5:46 PM

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ આરોપીઓમાં બે શૂટર્સ બહરાઈચના હતા, જે નેપાળ ભાગી ગયા હતા. આ સિવાય બહરાઇચ હિંસાનો આરોપી સરફરાઝ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. ત્યારે પોલીસે નેપાળ બોર્ડર પાસે એન્કાઉન્ટર કર્યું હતું. અવારનવાર એવા અહેવાલો સામે આવે છે કે ગુનેગારો ભારતમાં ગુના કર્યા પછી નેપાળ ભાગી જાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ગુનેગારો નેપાળ ભાગી જવાનું કારણ શું છે.

નેપાળ ગુનેગારો અને આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે. કારણ કે તેઓ ત્યાં રહે છે અને ગુનો કરવા ભારત આવે છે. અથવા ગુનો કરીને ભાગી જાય છે. મોટાભાગના ગુનેગારો જાણે છે કે નેપાળ પહોંચ્યા પછી તેમને પકડવા મુશ્કેલ બની જશે. નેપાળમાંથી ગુનેગારોને પ્રત્યાર્પણ કરવાની પ્રોસેસ ખૂબ જ અઘરી છે.

પ્રત્યાર્પણ કરારમાં ઘણી સમસ્યાઓ

નેપાળમાંથી ગુનેગારોનું પ્રત્યાર્પણ મજબૂત કાયદાકીય માળખું અને કરારોના અભાવે પડકારજનક છે. નેપાળમાંથી ગુનેગારને ભારત પરત લાવવા એ પાકિસ્તાનથી ગુનેગારને પ્રત્યાર્પણ કરવા જેટલું મુશ્કેલ છે, જે આવા આરોપીઓ માટે ઓછા જોખમનું આશ્રયસ્થાન બનાવે છે. ભારત અને નેપાળ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ઘણી જૂની અને નબળી છે.

ભારત અને નેપાળ વચ્ચે જે પ્રત્યાર્પણ સંધિ છે, તે જૂની છે. આનો અર્થ એ થયો કે ભારતીય સત્તાવાળાઓ માટે નેપાળ ભાગી ગયેલા ગુનેગારોને પાછા મેળવવાનું કામ સરળ નથી. નેપાળમાં વોન્ટેડ ગુનેગારોના પ્રત્યાર્પણમાં એટલી બધી કાનૂની ગૂંચવણો છે કે ત્યાંથી ભાગી ગયેલા ગુનેગારોને ભારત પરત લાવવા મુશ્કેલ બને છે.

ભારતીય અધિકારીઓને ભાગેડુ ગુનેગારોના પ્રત્યાર્પણ માટે જટિલ કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. તેમને મદદ માટે નેપાળ સરકારનો સંપર્ક કરતા પહેલા ઇન્ટરપોલ વોરંટ અને અન્ય કાનૂની દસ્તાવેજો મેળવવાની જરૂર છે, જે સમગ્ર પ્રક્રિયાને લાંબી અને બોજારૂપ બનાવે છે.

ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન

નેપાળ ગુનેગારો અને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ગુનેગારોને પણ આ વાત સમજાઈ ગઈ છે. ભારતમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતી ઘણી વ્યક્તિઓને નેપાળમાં આરોપોનો સામનો કરવો પડતો નથી, જેના કારણે તેઓને ત્યાં કાયદેસરના વેપારી અથવા રહેવાસી તરીકે રહેવાની છૂટ છે.

નેપાળ પણ સંખ્યાબંધ ગુનાહિત નેટવર્કનું ઘર બની ગયું છે, જે આવા તત્વોને ટેકો અને સંસાધનો પૂરા પાડે છે. આ નેટવર્ક ગુનેગારોને નેપાળમાં આશ્રય, રોજગાર અને કાયદાકીય સહાય શોધવામાં મદદ કરે છે.

Published On - 5:35 pm, Sat, 19 October 24

Follow Us