સપના ક્યાંથી શરૂ થાય છે અને યાદ કેમ નથી રહેતા, જાણો તેનું કારણ

|

Jun 26, 2022 | 4:13 PM

REM (rapid eye movement) દરમિયાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે. પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઈ સ્પષ્ટ માળખું હોતું નથી, તે કંઈક એવું છે કે ટીવી સિગ્નલ ન મળી રહ્યું.

સપના ક્યાંથી શરૂ થાય છે અને યાદ કેમ નથી રહેતા, જાણો તેનું કારણ
Dream

Follow us on

આપણે બધા સપના જોઈએ છીએ. ઘણા લોકોને સપના યાદ હોય છે અને ઘણા લોકોને ખબર હોય છે કે સ્વપ્ન રાત્રે આવ્યું હતું પરંતુ સ્વપ્નમાં શું જોયું તે યાદ નથી. ખૂબ જ મજાની વાત એ છે કે જે લોકો સપના (Dream)ને યાદ કરે છે તેઓને સપનાનો અંત પણ યાદ હોય છે, પરંતુ દુનિયાના કોઈ માણસને એ યાદ નથી હોતું કે સપનું ક્યાંથી શરૂ થયું. પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે. આજે અમે તમને સપનાના જાદુ વિશે જણાવા જઇ રહ્યા છીએ કે શા માટે સપના યાદ નથી રહેતા.

આ એક ચોંકાવનારું સત્ય છે કે આજે પણ સપનાને લઈને દુનિયામાં સંશોધનો ચાલી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના પોતાના તારણો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો સપના વિશે કોઈ એક અભિપ્રાય પર સહમત નથી. મેડિકલ સાયન્સ કહે છે કે રેપિડ આઈ મૂવમેન્ટ (REM)થી પણ સપના આવે છે. REM દરમિયાન આખું શરીર સૂઈ જાય છે પરંતુ બંધ આંખો અંદરથી ઝડપથી ફફડતી હોય છે. કોઈપણ મનુષ્યમાં, આ સમયગાળો મહત્તમ 90 મિનિટનો હોય છે.

સપના શું છે ? શા માટે આવે છે ? જાણો આનું વૈજ્ઞાનિક કારણ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

REM (rapid eye movement) દરમિયાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે. પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઈ સ્પષ્ટ માળખું હોતું નથી. તે કંઈક એવું છે કે ટીવી સિગ્નલ ન મળી રહ્યું. થોડા સમય પછી, જ્યારે રક્ત પરિભ્રમણ થોડું ઓછું થાય છે, ત્યારે અર્ધજાગ્રત મનની રચના સ્પષ્ટ થાય છે અને ચિત્ર દેખાય છે. સ્વપ્નની આ અવસ્થા જ યાદ આવે છે.

મનોવિજ્ઞાનના પ્રોફેસર અને લેખક ડેઇડ્રે બેરેટ કહે છે કે રાસાયણિક ઘટક નોરેડ્રેનાલિન પણ અર્ધજાગ્રત અવસ્થામાં જોયેલા સપનાની યાદોનું કારણ બને છે. નોરાડ્રેનાલિન એક હોર્મોન છે જેના કારણે મન કોઈ કામમાં વ્યસ્ત થઈ જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સ્લીપ રિસર્ચર રોબર્ટ સ્ટીકગોલ્ડ કહે છે કે જે વ્યક્તિના મગજમાં વર્કલોડ ન હોય તેને જ સપના યાદ રહે છે. તણાવ અને ચિંતાની સ્થિતિમાં આવતા સપના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને ક્યારેક પેરાલિસિસના હુમલાનું કારણ પણ બને છે. તેથી જ વડીલો કહે છે કે આવા સપના આવે ત્યારે પથારી છોડી દેવી જોઈએ અને ઊંઘતા પહેલા પાણી પીવું જોઈએ.

Next Article