અકસ્માત નાના હોય કે મોટા કોઈને કોઈ રીતે નુકશાન પહોંચાડતા જ હોય છે. અકસ્માતોથી શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખુબ નુકશાન થતુ હોય છે. દુનિયામાં એવા અનેક મોટા અકસ્માતો થયા છે, જેણે દરેકને આશ્ચર્યચકિત કર્યા છે. આ અકસ્માતો એટલા ભયાનક હોય છે કે તેમાં હજારો લોકોના મોત થયા હોય છે. કેટલાક લોકોની તો લાશ પણ નથી મળતી તો કેટલાકના શરીર બળીને રાખ થઈ જાય છે. આવા ઘણા જહાજો અને વિમાનોના અકસ્માતોની વાર્તા આપણે સાંભળી જ છે. ટાઈટેનિક (Titanic) આ નામ પણ એક અકસ્માત સાથે જોડાયેલુ છે. ટાઈટેનિક એક મોટુ દરિયાનું જહાજ હતુ, જે અકસ્માતને કારણે દરિયામાં ડૂબી ગયુ હતુ.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે તે દુર્ઘટનાના 75 વર્ષ બાદ તેનો કાટમાળ મળ્યો હતો. આ ટાઈટેનિક જહાજના અકસ્માત પર ઘણા સંશોધન કરવામાં આવ્યા, પણ 110 વર્ષ બાદ હજુ ઘણા રહસ્યોના ઉકેલી શકાયા નથી. તે રહસ્યો આજે પણ એન્ટાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) ટાઈટેનિક જહાજના કાટમાળ સાથે દબાયેલા છે. ચાલો જાણીએ કે ક્યા ક્યા રહસ્યો આજે પણ ઉકેલાયા નથી. જો તે રહસ્યોનો ઉકેલ આવે તો ઘણી બધી વાતો સામે આવી શકે છે. જે ચોંકાવનારી હશે.
110 વર્ષ પહેલા 16 એપ્રિલ, 1909ના રોજ આ ટાઈટેનિક જહાજ એક હિમશીલા સાથે અથડાયુ હતુ. રિપોર્ટ અનુસાર તે સમયે ટાઈટેનિકની સ્પીડ 41 કિલોમીટર પ્રતિકલાકની હતી અને તે ઈંગ્લેન્ડના સાઉથમ્પૈટનથી અમેરિકાના ન્યૂર્યોક તરફ જઈ રહ્યુ હતુ. આ અકસ્માત એન્ટાટિક સમૃદ્રમાં થયુ હતુ અને તે સમયે તે જહાજમાં અનેક યાત્રીઓ સૂતા હતા. કહેવામાં આવે છે કે આ જહાજ ક્યારે ના ડુબી શકે પણ આ જહાજ તરત જ ડૂબી ગયુ. આ અકસ્માતમાં 1500 લોકો મરી ગયા હતા.
Published On - 10:18 pm, Wed, 27 July 22