ભારતીય રેલવે ભારતના ખૂણે ખૂણે વિસ્તરેલી છે. તે લાખો લોકોને અનેક સ્થળ સુધી પહોંચાડે છે. તે સમયે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા નવા નિર્ણયો લેતી રહી છે. ભારતમાં અંગ્રેજોના સમયથી ટ્રેનો ચાલે છે. ભારતે કોલસાથી ચાલતી ટ્રેનોથી શરુઆત કરીને આજે મેટ્રો અને બુલેટ ટ્રેન સુધીની સફર જોઈ છે. તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, આ દરમિયાન તમારી ટ્રેન તમામ સ્ટેશનો પરથી પસાર થઈ હશે, પરંતુ શું તમારા મનમાં પ્રશ્ન આવ્યો છે કે દેશનું છેલ્લું સ્ટેશન કયું છે? ભારતનું છેલ્લું સ્ટેશન (Last Station of India) સિંઘબાદ છે જે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલું છે. એવું કહેવાય છે કે આ અંગ્રેજોના જમાનાનું સ્ટેશન છે અને આજે પણ તે એવું જ છે જે રીતે અંગ્રેજોએ તેને છોડી દીધું હતું. પરંતુ દેશ આઝાદ થયો ત્યારથી આ સ્ટેશન સાવ નિર્જન રહે છે. અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર નથી. આવો જાણીએ સિંઘબાદ રેલવે સ્ટેશન (Singhabad Railway Station) સાથે જોડાયેલી ખાસ વાતો.
અહીંના રેલ્વે બોર્ડ પર લખેલું છે ‘ભારતનું અતિંમ સ્ટેશન’. અહીં સિગ્નલ, કોમ્યુનિકેશન અને સ્ટેશનને લગતા તમામ સાધનો, ટેલિફોન અને ટિકિટો આજે પણ અંગ્રેજોના સમયના છે. સિગ્નલ માટે હેન્ડ ગિયર્સનો ઉપયોગ થાય છે. નોન-સ્ટોપ પેસેન્જર ટ્રેનને ના હોવાને કારણે અહીં ટિકિટ કાઉન્ટર હંમેશા બંધ રહે છે. સ્ટેશન પરનો સ્ટાફ ઓછો છે. સ્ટેશનના પર એક નાનકડી સ્ટેશન ઓફિસ દેખાય છે.
એવું કહેવાય છે કે 1971 પછી જ્યારે બાંગ્લાદેશની રચના થઈ ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુસાફરીની માંગ વધવા લાગી. આ પછી એક સમજૂતી થઈ, જે પછી ભારત અને બાંગ્લાદેશ જતી ટ્રેનો આ રૂટ પર માલગાડીઓ દોડવા લાગી. વર્ષ 2011માં નેપાળને પણ આ કરારમાં સુધારો કરીને સામેલ કરવામાં આવ્યું હતું. આજે બાંગ્લાદેશ સિવાય નેપાળ જતી માલગાડીઓ પણ આ સ્ટેશન પરથી પસાર થાય છે. રોહનપુર થઈને બાંગ્લાદેશ જતી અને ભારતથી નેપાળ જતી ગુડ્ઝ ટ્રેનો અહીં ઘણી વખત રોકાય છે અને સિગ્નલની રાહ જુએ છે.
કહેવાય છે કે સિંઘબાદ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં છે. એક સમયે સિંઘબાદ રેલ્વે સ્ટેશને કોલકાતા અને ઢાકા વચ્ચે જોડાણ સ્થાપિત કર્યું હતું. તે સમયે આ માર્ગનો ઉપયોગ થતો હતો. ઢાકા પહોંચવા માટે મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ પણ આ માર્ગ પરથી ઘણી વખત પસાર થયા છે. એક સમય હતો જ્યારે દાર્જિલિંગ મેલ જેવી ટ્રેન અહીંથી પસાર થતી હતી, પરંતુ આજના સમયમાં અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી.