ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો

ભારતના કોઈ રાજાને વારસામાં એટલી સંપત્તિ નહોંતી મળી જેટલી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડને તેમના સત્તામાં આવ્યા બાદ મળી હતી. એ સમયે વડોદરા દેશનું બીજુ સૌથી અમીર રજવાડું હતુ અને તેની ગણતરી સૌથી શક્તિશાળી રજવાડા તરીકે થતી હતી.પરંતુ થોડા વર્ષોમાં સ્થિતિ એવી પણ આવી કે ભારત સરકારે વડોદરાના મહારાજા પર લગામ લગાવવાની પણ નોબત આવી. શું હતી એ ઘટના.. વાંચો

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:03 PM

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અવસાન બાદ વર્ષ 1949માં તેમના પૌત્ર પ્રતાપસિંહ રાવ ગાયકવાડને વડોદરાના નવા મહારાજ બનાવવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના અંગત સચિવ અને રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણના સૂત્રધાર રહેલા વી.પી. મેનને તેમના પુસ્તક ‘Integration of the Indian State’ માં લખ્યુ છે કે વડોદરાના મહારાજને તત્કાલિન કિંમત મુજબ લગભગ 300 મિલિયન ડૉલરની સંપત્તિ વિરાસતમાં મળી હતી. મતલબ સ્પષ્ટ છે કે 30 કરોડ ડૉલર અને 15 મિલિયન ડૉલરના રત્નો અને અભૂષણો મળ્યા હતા. શરૂઆતમાં દાદાના પગલે ચાલીને બરોડામાં અનેક આધુનિક સુવિધાઓ લાવ્યા એવુ પણ કહેવાય છે કે હૈદરાબાદના નિઝામ પછી બીજા નંબરે સૌથી વધુ સંપત્તિ વડોદરાના મહારાજા પાસે હતી. પ્રતાપસિંહ રાવ ગાયકવાડે તેમના દાદા સયાજીરાવ ગાયકવાડના રસ્તે ચાલવાનો પ્રયાસ કર્યો. તેમણે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરાવી. જે કલાકારો અને વિદ્રાનોને મદદ કરતા હતા. તેમના રજવાડામાં ગોલ્ફ અને પોલો ક્લબ જેવા આધુનિક વસ્તુઓની ભેટ આપી. દેશના સૌપ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત પણ કરાવી. જેનુ નામ હતુ વડોદરા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન.અહીં પહેલા પ્રસારણમાં વંદેમાતરમ ગાવામાં...

Published On - 3:38 pm, Fri, 7 November 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો