કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં (Book Reading) પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તકના પાનેથીમાં
વિષ્ણુ પંડ્યા દ્વારા લિખિત અને સંપાદક ડો. આરતી પંડ્યા દ્વારા સંપાદિત પુસ્તક ‘ભારત 1990 થી 2000 :રાજકીય ઝંઝાવાતના વર્ષો” આ પુસ્તકના પૃષ્ઠ નંબર 37 માં ભાજપ વિશે રસપ્રદ વિગતો આપવામાં આવી છે ખાસ તો એક એવા મહત્વના રાજકીય સૂત્ર અંગે માહિતી આપવામાં આવી છે. આ સૂત્ર દ્વારા જ ભાજપની રાજકીય સ્થિતિ ધરમૂળથી બદલાઈ ગઈ હતી.
Published On - 11:34 am, Wed, 22 June 22