ભારતમાં, સમય અને તારીખોની ગણતરી માટે બે મુખ્ય કેલેન્ડરનો ઉપયોગ થાય છે: હિન્દુ કેલેન્ડર અને ગ્રેગોરિયન કેલેન્ડર. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સત્તાવાર રીતે ઉપયોગ થાય છે, જ્યારે હિન્દુ કેલેન્ડર ધાર્મિક, સાંસ્કૃતિક અને જ્યોતિષીય હેતુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026 માં, હિન્દુ નવું વર્ષ 19 માર્ચથી શરૂ થયું છે, જે ચૈત્ર સુદ એકમ તરીકે ઉજવવામાં આવે છે.
હિંદુ કેલેન્ડરમાં 12 મહિનાનો સમાવેશ થાય છે: ઉત્તર ભારતના હિન્દીભાષી રાજ્યોમાં ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ. વર્ષમાં અંદાજે 354 દિવસ હોય છે. જ્યારે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ કારતક મહિનાથી, વિક્રમ સંવતની શરૂઆત કરવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર ફક્ત સમય માપવાનું સાધન નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનો એક આધારસ્તંભ પણ છે. આ પ્રમાણે, નવરાત્રી, દિવાળી, હોળી જેવા મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે. આ ઉપરાંત, પંચાંગનો ઉપયોગ લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો માટે પણ કરવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર ખગોળીય ઘટનાઓ અને ગ્રહોની સ્થિતિ પર આધારિત છે, અને તેથી તે સુગમતા અને વિવિધતા પ્રદાન કરે છે. ગ્રેગોરિયન કેલેન્ડર આંતરરાષ્ટ્રીય સ્તરે એકરૂપતા અને સુવિધા માટે બનાવવામાં આવ્યું છે.
Parenting Tips : તમારુ બાળક બધા સામે જેમ ફાવે એમ બોલી નાખે છે? જાણો તેને કેવી રીતે સમજાવશો, વધુ સમાચાર વાંચો