AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ

આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.

GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ
National Flag
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:04 PM
Share

GK Quiz : આ વર્ષે 15 ઓગસ્ટ 2023ના રોજ સમગ્ર દેશ 76મા સ્વતંત્રતા દિવસની (Independence Day) ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે. આ ઉજવણી તિરંગા વિના અધૂરી છે. આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.

આ પણ વાંચો Knowledge : હર ઘર તિરંગા અભિયાન, પોસ્ટ ઓફિસમાં થઈ રહ્યું તિરંગાનું વેચાણ, જાણો ક્યાં તૈયાર થાય છે તિરંગો

પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે ફરકાવ્યો હતો ? જવાબ – 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પ્રશ્ન – દેશની ધરતી પર પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ? જવાબપોર્ટ બ્લેરમાં ફ્લેગ પોઈન્ટ એ એવી જગ્યા છે જ્યાં દેશની ધરતી પર પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પ્રશ્ન – ભારતના સૌથી ઊંચા તિરંગાની લંબાઈ કેટલી છે ? જવાબ – દેશના સૌથી ઊંચા તિરંગાની ઊંચાઈ 110 મીટર (360.8 ફૂટ) છે.

પ્રશ્ન – દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જવાબકર્ણાટકના બેલગામમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

પ્રશ્ન – અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે ? જવાબ – ભારતીય ધ્વજમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં કુલ 6 વખત રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે.

પ્રશ્ન – શું રાત્રે તિરંગો ફરકાવી શકાય ? જવાબ – અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો. આ પછી, ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, જેમાં ઉલ્લેખ કરાયો છે કે રાત્રે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. જો કે જ્યાં તિરંગો લહેરાવવાનો હોય તે જગ્યામાં અંધારું ન હોવું જોઈએ.

પ્રશ્ન – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને રાખવા માટેના નિયમો શું છે ? જવાબ – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને ગરિમા અને સન્માન સાથે આદરપૂર્વક જમીનમાં દફનાવવો જોઈએ. આ સિવાય તેને વિધિવત રીતે ફોલ્ડ કરીને ગંગામાં વિસર્જિત પણ કરી શકાય.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">