AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ

આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.

GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ
National Flag
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:04 PM
Share

GK Quiz : આ વર્ષે 15 ઓગસ્ટ 2023ના રોજ સમગ્ર દેશ 76મા સ્વતંત્રતા દિવસની (Independence Day) ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે. આ ઉજવણી તિરંગા વિના અધૂરી છે. આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.

આ પણ વાંચો Knowledge : હર ઘર તિરંગા અભિયાન, પોસ્ટ ઓફિસમાં થઈ રહ્યું તિરંગાનું વેચાણ, જાણો ક્યાં તૈયાર થાય છે તિરંગો

પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે ફરકાવ્યો હતો ? જવાબ – 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પ્રશ્ન – દેશની ધરતી પર પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ? જવાબપોર્ટ બ્લેરમાં ફ્લેગ પોઈન્ટ એ એવી જગ્યા છે જ્યાં દેશની ધરતી પર પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પ્રશ્ન – ભારતના સૌથી ઊંચા તિરંગાની લંબાઈ કેટલી છે ? જવાબ – દેશના સૌથી ઊંચા તિરંગાની ઊંચાઈ 110 મીટર (360.8 ફૂટ) છે.

પ્રશ્ન – દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જવાબકર્ણાટકના બેલગામમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

પ્રશ્ન – અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે ? જવાબ – ભારતીય ધ્વજમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં કુલ 6 વખત રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે.

પ્રશ્ન – શું રાત્રે તિરંગો ફરકાવી શકાય ? જવાબ – અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો. આ પછી, ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, જેમાં ઉલ્લેખ કરાયો છે કે રાત્રે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. જો કે જ્યાં તિરંગો લહેરાવવાનો હોય તે જગ્યામાં અંધારું ન હોવું જોઈએ.

પ્રશ્ન – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને રાખવા માટેના નિયમો શું છે ? જવાબ – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને ગરિમા અને સન્માન સાથે આદરપૂર્વક જમીનમાં દફનાવવો જોઈએ. આ સિવાય તેને વિધિવત રીતે ફોલ્ડ કરીને ગંગામાં વિસર્જિત પણ કરી શકાય.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">