
ભારતનો ઈતિહાસ સંઘર્ષ, સાહસ, શૌર્ય અને વિજયથી ભરેલો છે. આ દેશના અનેક મહાન શાસકોએ માતૃભૂમિની રક્ષા પોતાના પ્રાણની આહુતિ આપી છે. પરંતુ,સૌથી મોટી દુઃખદ વાત એ છે કે અનેક વખત દેશે ગદ્દારોને કારણે ગુલામી ભોગવી છે. એકતરફ દેશના બચાવવા માટે દેશભક્તો લડી રહ્યા હતા, તો કેટલાક એવા પણ હતા જેમણે પોતાના અંગત સ્વાર્થ માટે દેશ સાથે દગો કર્યો. આવા જ ગદ્દારોએ દેશને દુશ્મનોના હાથે સોંપી દીધો. ભારતે જ્યાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને ભગતસિંહ જેવા વીરપુરુષો આપ્યા છે, ત્યાં જ કેટલાક એવા ગદ્દારો પણ છે, જો આ ગદ્દારો દેશમાં જન્મ્યા જ ન હોત, તો કદાચ ભારત ક્યારેય ગુલામ બન્યું જ ન હોત. તેઓના એક પગલાને કારણે વિદેશી શાસકો માટે ભારત પર કબજો મેળવવો અને સંચાલન કરવું વધુ સરળ બની ગયું. આ ગદ્દારોમાં સૌથી પહેલા આવે છે. જયચંદ કોણ હતો જયચંદ? જેની ઈર્ષાને કારણે દેશ ખોવાનો વારો આવ્યો જયચંદ કન્નોજના ગહડવાલ વંશનો શાસક હતો. 12મી સદીમાં ભારતમાં રજપૂત શાાસકોનું શાસન હતુ ત્યારે જયચંદ એક...