
ભારતના રાજકીય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સતત ચર્ચા થતી રહી છે. ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડની વાત નવી નથી. આઝાદી બાદ અનેક પ્રકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા છે. જેમાં ક્યાંકને ક્યાંક સરકારની સંડોવણી સામે આવી છે. આજે અમે તમને આવા જ એક કૌભાંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આઝાદી પછીનું સૌથી પહેલું કૌભાંડ હતું. જીપ કૌભાંડ એ ભારતની આઝાદી પછી સામે આવેલું પહેલું સૌથી મોટું કૌભાંડ હતું, જેણે તત્કાલીન સરકાર અને કોંગ્રેસની છબી પર ઊંડી અસર છોડી હતી. આ મામલો દેશના સરક્ષણ સાથે જોડાયેલો હતો, પરંતુ તેની પાછળની કહાની સત્તા અને રાજકારણ સાથે જોડાયેલી છે. ભારતને 1947માં આઝાદી મળી હતી. પરંતુ વિભાજનને કારણે દેશને નવી સેના અને સંરક્ષણ દળની જરૂર હતી, જે ભારતની સરહદોનું રક્ષણ કરી શકે. તે સમયે ભારતીય સેનાને વાહનોની ખાસ કરીને જીપની સખત જરૂર હતી, જેથી તે ઝડપથી સૈનિકો અને સાધનોને યુદ્ધના મેદાનમાં તૈનાત કરી શકે. આ ઘટના વર્ષ 1948ની છે, જ્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારે...