ઔરંગઝેબના અત્યાચારો વિશે તો બધાને જાણકારી છે પરંતુ તેના જન્મસ્થળ વિશે બહુ લોકો જાણતા નથી. તમને કદાચ નવાઈ લાગશે કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. ગુજરાતના દાહોદમાં શાહજહાની પત્ની મુમતાઝે ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. એ જ્યાં જન્મ્યો હતો તે ગઢીનો કિલ્લો જર્જરીત હાલતમાં આજે પણ યથાવત છે. વર્ષ 1618માં જહાંગીર તેના લાવ-લશ્કર સાથે ગુજરાતથી માળવા તરફ જતા હતા એ દરમિયાન એક મહિના સુધી તેમણે ગુજરાતના દાહોદમાં રોકાણ કર્યુ હતુ. આ દરમિયાન મુમતાજે ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. આ સમયે તેના માનમાં શાહજહાંએ એક મસ્જિદ બંધાવી હતી. ઔરંગઝેબે તેના જન્મસ્થળના રખરખાવ માટે સૂબેદાર મોહમ્મદ આમીર ખાનને દાહોદ મોકલ્યો હતો. આ સૂબેદારે બાદશાહની સ્મૃતિ તરીકે ત્યા એક ધર્મશાળા બંધાવી હતી. કિલ્લા જેવુ બાંધકામ હોવાથી તે ગઢીના કિલ્લા તરીકે જાણીતુ થયુ. જેમા ફકીરો માટે રહેવા માટેની સગવડ ધરાવતા ઓરડા હતા. એ સમયે એ 76,300 ના ખર્ચે તૈયાર થયો હતો. જેના પર પાછળથી મરાઠાઓએ કબજો કરી લીધો હતો. જે બાદ અંગ્રેજોએ તેમા કચેરી ચાલુ કરી...
Published On - 7:35 pm, Tue, 1 April 25