
અમરનાથની ગુફામાં બાબા બર્ફાનીનું હિમશિવલિંગ અંતર્ધાન થઈ જવુ એ શિવભક્તો માટે જેટલુ આઘાતજનક છે, એટલી જ ભયાનક ચેતવણી પર્યાવરણ માટે પણ છે. એકતરફ અતૂટ આસ્થા છે બીજી તરફ તૂટતો હિમાલય.. ત્યારે સવાલ એ છે કે શું આ માત્ર કુદરતી ફેરફાર છે કે પ્રકૃતિએ મારેલી થપાટ છે જેનો પડઘો કદાચ શ્રદ્ધાના ઘોંઘાટમાં દબાઈ ગયો છે. આજે સવાલ માત્ર હિમાલયના પિગળવાનો નથી પરંતુ હિમાલયના અસ્તિત્વનો છે, જેને વધુ નજર અંદાજ ન કરી શકાય. અમરનાથ એ માત્ર પથ્થરો અને બરફની ગુફા નથી પરંતુ સનાતની ચેતનાનો અમરસ્તંભ છે, જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું પરમ રહસ્ય સમજાવ્યુ હતુ. હર..હર.. મહાદેવ.., બમ…બમ…ભોલે, નમ: પાર્વતી પતયે હર હર મહાદેવ… બાબા અમરનાથના રસ્તે આ નાદ જ ભાવિકોને ગમે તેવા કઠિન અને દુર્ગમ માર્ગને પાર કરીને બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથની ગુફા સુધી પહોંચવા માટેની હિંમત પુરી પાડતા હોય છે. બાબા અમરનાથની યાત્રાએ જનારા લોકો જાણતા જ હશે કે સમગ્ર માર્ગ પર તમને આ જ ધ્વનિ સાંભળવા મળે...
Published On - 9:55 pm, Tue, 14 July 26