
વિશ્વભરમાં ઘણા માઈનર્સ એવા છે કે જે સર્વર તરીકે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોઈપણ એક ડિવાઇસને હેક કરીને બ્લોકચેનને હેક કરી શકાતું નથી.

બિટકોઇન ફક્ત ત્યારે જ હેક થઈ શકે જ્યારે કોઈ એક એન્ટિટી (એક જ વ્યક્તિ, સંસ્થા અથવા સંગઠન) 51% માઈનિંગ કેપેસિટી પ્રાપ્ત કરી શકે. આ સિવાય જ્યારે ધરતી પર વીજળી કે ઇન્ટરનેટ બંધ થઈ જાય ત્યારે તેને શટડાઉન કરી શકાય છે.

51% એટેક એ એક એવી સંભવિત પરિસ્થિતિ છે કે જ્યાં એક વ્યક્તિ અથવા સંસ્થા બ્લોકચેન નેટવર્કના 51%થી વધુ હેશરેટને કંટ્રોલ કરી શકે છે. બિટકોઈન બ્લોકચેનમાં કોઈપણ ટ્રાન્ઝેક્શન ફક્ત ત્યારે જ માન્ય માનવામાં આવે છે, જ્યારે તેને ઓછામાં ઓછા 51% બહુમતથી મંજૂરી મળે.

આનો સીધો અર્થ એ છે કે જો કોઈ પાસે બ્લોકચેનના 51% હિસ્સા પર કાબૂ હોય, તો તે ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર કરી શકે છે.

છેલ્લા દસ વર્ષથી બિટકોઈન બ્લોકચેન લગભગ 100% અપટાઇમ સાથે ચાલી રહ્યું છે. જો કે, વિશ્વમાં વીજળી ન રહે અને ઇન્ટરનેટ બંધ થઈ જાય તો બ્લોકચેન નિષ્ફળ થઈ શકે છે.

જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે એક્સચેન્જ, વોલેટ અને સ્ટોરેજ વિશે ચિંતા કરવાની જરૂર છે. હાલમાં બ્લોકચેન લેવલે ક્રિપ્ટોકરન્સી હેક થાય કે બંધ થાય તેવું લાગી રહ્યું નથી. આમ જોવા જઈએ તો, વોલેટ અને એક્સચેન્જમાંથી ચોરી થવાનું જોખમ હંમેશા રહે છે.