વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસને લઈ એક મોટી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું કે એવું થઈ શકે છે કે કોરોના વાઈરસ ક્યારેય ખત્મ ના થાય અને દુનિયાભરના લોકોને તેની સાથે જ રહેતા શીખવું પડશે. WHOના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર મિચેલ રયાનને કહ્યું કોરોના વાઈરસ આપણા સમુદાયમાં વધુ એક સ્થાનિક વાઈરસ બની શકે છે અને જે ક્યારેય ખત્મ ના થાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને વધુમાં કહ્યું કે જેવી રીતે HIV ક્યારેય ખત્મ નથી થયો, હાલમાં એ વાતનો કોઈ સંકેત નથી મળી રહ્યો કે કોરોના વાઈરસ ક્યારે ખત્મ થશે. આ પહેલા WHOની મહામારી રોગ નિષ્ણાાંત મારિયા વેન કેરખોવે પણ કહી ચૂક્યા છે કે આપણે એ માઈન્ડસેટ બનાવવું પડશે કે આ મહામારીથી બહાર નિકળવામાં સમય લાગશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઈરસથી 4.2 મિલિયનથી વધારે લોકો સંક્રમિત છે. દુનિયાભરમાં આશરે 3 લાખ લોકોના મોત પણ થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:20 am, Thu, 14 May 20