હંમેશા જમ્મુ કશ્મીર મુદ્દે નિવેદન આપતા રહેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી (Shah Mahmood Qureshi) પોતાના એક નિવેદનને લઈને જોરદાર ફસાયા છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાની ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કુરેશીએ અનુછેદ 370ને ભારતનો આંતરિક મામલો ગણાવી દીધો હતો.
ત્યારબાદથી પાકિસ્તાનની તેના વિરોધી પક્ષો મોટા પ્રમાણમાં તેની આલોચના કરી રહ્યા છે. વાત ત્યાં સુધી વધી ગઈ કે કુરેશીને સામે આવીને આ બાબતની ચોખવટ કરવી પડી હતી. સોમવારે કુરેશીએ ટ્વીટ કરીને કહ્યું કે જમ્મુ કશ્મીર ભારતનો આંતરિક મામલો ક્યારેય હોય જ ન શકે.
ક્યાં કહ્યું હતું કુરેશીએ?
સોશિયલ મીડિયા પર કુરેશીનો જે ઈન્ટરવ્યુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે કહેતા જોવા મળે છે કે અનુચ્છેદ 370ના હટવાથી કોઈ પરેશાની થઈ નથી. 370 પાકિસ્તાન માટે કોઈ મહત્વ નથી ધરાવતું. તેને કહ્યું કે તે ભારતનો આંતરિક મામલો છે. જો કે કુરેશજીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે 35A હટાવવાથી પાકિસ્તાનને વાંધો છે, કારણ કે તેના લીધે ભારત ડેમોગ્રાફીમાં બદલાવ કરી શકશે.
After two years, foreign minister Qureshi has realised article 370 means nothing to Pakistan. “It is India’s internal issue.” pic.twitter.com/FFp2i7l7VT
— Naila Inayat (@nailainayat) May 7, 2021
હવે શું બોલ્યા કુરેશી?
કુરેશીએ ટ્વીટ કરીને ચોખવટ કરી કે જમ્મુ કશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં આંતરરાષ્ટ્રીય વિવાદ માનવામાં આવ્યો છે. આ સમસ્યાનું સમાધાન ત્યારે જ આવી શકશે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની નિગરાનીમાં જનમતસંગ્રહ કરવવામાં આવે.
Let me be clear: Jammu & Kashmir is an internationally recognised dispute on the @UN Security Council agenda. Final settlement of the dispute lies in #UNSC resolution calling for free and impartial plebiscite under UN auspices. Nothing about J&K can be India’s internal matter.
— Shah Mahmood Qureshi (@SMQureshiPTI) May 10, 2021
પોતાના જ દેશમાં થયો વિરોધ
કુરેશીના નિવેદનને લઈને પાકિસ્તાની વિરોધી પાર્ટીઓ કુરેશી પર માછલાં ધોઈ રહી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરિફના પ્રવકતા મોહમદ જુબેરે કહ્યું કે કશ્મીરને લઈને કુરેશીનું નિવેદન પાકિસ્તાનના ઐતિહાસિક વલણથી યુ-ટર્ન લેવા જેવુ છે.
તેમને જણાવ્યુ કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માની રહ્યું છે. પરંતુ કુરેશીના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના ઐતિહાસિક વલણથી પોતે યુ-ટર્ન મારી લીધો છે. આપને જાણવી દઈએ કે 5 ઓગષ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરથી અનુચ્છેદ 370 અને 35A હટાવી દીધી હતી.
તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરી દીધો હતો. બંધારણના અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશેષ સ્વાયત્તા મળી હતી. વળી, 35A જમ્મુ કાશ્મીર રાજ્ય વિધાન મંડળને સ્થાયી નિવાસી પરિભાષિત કરવા અને તેના નાગરિકોને વિશેષ અધિકાર આપતું હતું.
આ પણ વાંચો: Covid 19: કોરોનાની બીજી લહેરમાં અચાનક ઓક્સિજન સ્તર ઘટવાનું કારણ શું છે?