AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શપથ પહેલા શાહબાઝ શરીફે બતાવ્યો પોતાનો અસલી રંગ, કહ્યું- કાશ્મીરના ઉકેલ પહેલા શાંતિ શક્ય નથી

પાકિસ્તાની મીડિયા અનુસાર, શાહબાઝ શરીફે (Shehbaz Sharif) કહ્યું કે હું દેશમાં એક નવા યુગની શરૂઆત કરીશ અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપીશ. સાથે જ કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરીને પાકિસ્તાનની જનતાને રાહત આપવાનો પૂરો પ્રયાસ કરશે.

શપથ પહેલા શાહબાઝ શરીફે બતાવ્યો પોતાનો અસલી રંગ, કહ્યું- કાશ્મીરના ઉકેલ પહેલા શાંતિ શક્ય નથી
Shahbaz Sharif - File PhotoImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:08 PM
Share
ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનના (Pakistan) નામાંકિત વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) રવિવારે કહ્યું કે મારી પ્રથમ પ્રાથમિકતા રાષ્ટ્રીય સમરસતા છે. તેમજ પીએમ પદના શપથ લેતા પહેલા શાહબાઝ શરીફે પોતાનો અસલી રંગ બતાવતા કહ્યું કે અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કાશ્મીર મુદ્દાના (Kashmir Issue) ઉકેલ વિના શાંતિ શક્ય નથી. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે. આ સાથે જ ઈસ્લામાબાદમાં જિયો ન્યૂઝ સાથે વાત કરતા શાહબાઝ શરીફે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરીને જ નવી કેબિનેટની રચના કરવામાં આવશે.
પાકિસ્તાની મીડિયા અનુસાર શાહબાઝ શરીફે કહ્યું કે હું દેશમાં નવા યુગની શરૂઆત કરીશ અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપીશ. સાથે જ કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરીને પાકિસ્તાનની જનતાને રાહત આપવાનો પૂરો પ્રયાસ કરશે. તે જ સમયે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વાપસી અને કેસના પ્રશ્ન પર શાહબાઝ શરીફે કહ્યું કે તેમના કેસને કાયદા અનુસાર ચલાવવામાં આવશે.

શાહબાઝ શરીફ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વના પંજાબ પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી પીએમએલ-એન ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ વડાપ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ સંયુક્ત વિપક્ષની બેઠકમાં વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પહેલા શનિવારે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 1951 માં લાહોરમાં પંજાબી ભાષી કાશ્મીરી પરિવારમાં જન્મેલા, શાહબાઝ શરીફે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ સાથે 1980 ના દાયકાના મધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શાહબાઝ શરીફ વર્ષ 1997માં પહેલીવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા, જ્યારે તેમના ભાઈ વડાપ્રધાન હતા.

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">