AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શપથ પહેલા શાહબાઝ શરીફે બતાવ્યો પોતાનો અસલી રંગ, કહ્યું- કાશ્મીરના ઉકેલ પહેલા શાંતિ શક્ય નથી

પાકિસ્તાની મીડિયા અનુસાર, શાહબાઝ શરીફે (Shehbaz Sharif) કહ્યું કે હું દેશમાં એક નવા યુગની શરૂઆત કરીશ અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપીશ. સાથે જ કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરીને પાકિસ્તાનની જનતાને રાહત આપવાનો પૂરો પ્રયાસ કરશે.

શપથ પહેલા શાહબાઝ શરીફે બતાવ્યો પોતાનો અસલી રંગ, કહ્યું- કાશ્મીરના ઉકેલ પહેલા શાંતિ શક્ય નથી
Shahbaz Sharif - File PhotoImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:08 PM
Share
ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનના (Pakistan) નામાંકિત વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) રવિવારે કહ્યું કે મારી પ્રથમ પ્રાથમિકતા રાષ્ટ્રીય સમરસતા છે. તેમજ પીએમ પદના શપથ લેતા પહેલા શાહબાઝ શરીફે પોતાનો અસલી રંગ બતાવતા કહ્યું કે અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કાશ્મીર મુદ્દાના (Kashmir Issue) ઉકેલ વિના શાંતિ શક્ય નથી. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે. આ સાથે જ ઈસ્લામાબાદમાં જિયો ન્યૂઝ સાથે વાત કરતા શાહબાઝ શરીફે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરીને જ નવી કેબિનેટની રચના કરવામાં આવશે.
પાકિસ્તાની મીડિયા અનુસાર શાહબાઝ શરીફે કહ્યું કે હું દેશમાં નવા યુગની શરૂઆત કરીશ અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપીશ. સાથે જ કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરીને પાકિસ્તાનની જનતાને રાહત આપવાનો પૂરો પ્રયાસ કરશે. તે જ સમયે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વાપસી અને કેસના પ્રશ્ન પર શાહબાઝ શરીફે કહ્યું કે તેમના કેસને કાયદા અનુસાર ચલાવવામાં આવશે.

શાહબાઝ શરીફ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વના પંજાબ પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી પીએમએલ-એન ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ વડાપ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ સંયુક્ત વિપક્ષની બેઠકમાં વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પહેલા શનિવારે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 1951 માં લાહોરમાં પંજાબી ભાષી કાશ્મીરી પરિવારમાં જન્મેલા, શાહબાઝ શરીફે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ સાથે 1980 ના દાયકાના મધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શાહબાઝ શરીફ વર્ષ 1997માં પહેલીવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા, જ્યારે તેમના ભાઈ વડાપ્રધાન હતા.

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">