Vijay Mallya Case: બ્રિટિશ હાઇકોર્ટે વિજય માલ્યાને દેવાળીયો જાહેર કર્યો, ભારતીય બેંકો માટે હવે સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકળો

EDએ દાવો કર્યો છે કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi ), મેહુલ ચોક્સી (Mehul choksi) અને માલ્યા દ્વારા કરાયેલા કથિત બેંક છેતરપિંડીના કેસોમાં 58 ટકા જેટલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે.

Vijay Mallya Case: બ્રિટિશ હાઇકોર્ટે વિજય માલ્યાને દેવાળીયો જાહેર કર્યો, ભારતીય બેંકો માટે હવે સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકળો
વિજય માલ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:21 AM

Vijay Mallya Case: યુકે હાઈકોર્ટે (UK High Court) વિજય માલ્યા સામે ‘નાદારીનો આદેશ’ જારી કર્યો છે, ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ યુકે હાઈકોર્ટ દ્વારા નાદારીના આદેશ સામે અપીલ કરવાના કોઈપણ અધિકારને નકારી દીધો છે.

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને લોન આપનારી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના ખાતાઓમાં વધુ 7952 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate – ED ) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ઇડીએ દાવો કર્યો છે કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi ), મેહુલ ચોક્સી (Mehul choksi) અને માલ્યા દ્વારા કરાયેલા કથિત બેંક છેતરપિંડીના કેસોમાં 58 ટકા જેટલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે. વિજય માલ્યા કેસમાં ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, SBIની આગેવાની હેઠળના સમૂહોને કિંગફિશર એરલાઇન્સના શેર વેચીને રૂ 792.11 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

9000 કરોડ રૂપિયા નહીં ચુકવ્યાનો આરોપ

આ શેર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એસબીઆઇની આગેવાની હેઠળની લોન આપનારી બેંકોને સોંપવામાં આવ્યા હતા. આ શેરો ED દ્વારા પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જોડાયેલા હતા. ગયા મહિને આ જ કેસમાં, શેરના વેચાણ દ્વારા રૂ. બેન્કોને રૂ 7,181 કરોડ મળ્યા હતા. ઇડી અને સીબીઆઈ યુકે ભાગી ગયેલા માલ્યા સામે 9,000 કરોડ રૂપિયાના કથિત બેંક ફ્રોડની તપાસ કરી રહી છે જે હાલ તેની બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ સાથે જોડાયેલી છે.

વિજય માલ્યા પર અનેક બેન્કોમાંથી લેવામાં આવેલી આશરે 9,000 કરોડ રૂપિયાની લોન ભરપાઇ ન કરવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એસબીઆઈની આગેવાનીવાળી બેંકોને આશરે 6,624 કરોડ રૂપિયાના યુબીએલ શેર ટ્રાન્સફર કર્યા પછી 23 જૂનના રોજ ડેબટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) દ્વારા આ શેર વેચવામાં આવ્યા હતા.

ક્યાં દેશમાં છે ભાગેડુ કારોબારીઓ ઇડીએ આ શેરોને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જોડ્યા હતા. હાલમાં વિજય માલ્યાની લંડનમાં, નીરવ મોદીને લંડનની જેલમાં અને મેહુલ ચોક્સીને ડોમિનિકાની ધરપકડ કરવામાં આવી છે. પીએમએલએ તપાસ પૂરી થઈ ગઈ છે અને ઇડીએ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ભારત લાવવા યુ.કે. અને એન્ટિગુઆ-બાર્બુડાને પ્રત્યાર્પણની વિનંતીઓ (Extradition requests ) મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: GUJARAT : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમને એલર્ટ પર રખાઈ

આ પણ વાંચો:VADODARA : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન, હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">