મોદી સરકારને મોટી કૂટનીતિક સફળતા, વિશ્વના 15 શક્તિશાળી દેશોએ આપ્યો ભારતનો સાથ, ‘પુલવામા આતંકી હુમલાનો બદલો લે ભારત’, ચીનની ન ચાલી કારી

|

Feb 22, 2019 | 2:43 AM

પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિપ્લોમેસીનો બહુ મોટો વિજય થયો છે. પહેલી વાર પાકિસ્તાન જ નહીં, પણ ચીનને પણ જોરદાર આંચકો લાગ્યો છે. TV9 Gujarati   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો TEA […]

મોદી સરકારને મોટી કૂટનીતિક સફળતા, વિશ્વના 15 શક્તિશાળી દેશોએ આપ્યો ભારતનો સાથ, ‘પુલવામા આતંકી હુમલાનો બદલો લે ભારત’, ચીનની ન ચાલી કારી

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિપ્લોમેસીનો બહુ મોટો વિજય થયો છે. પહેલી વાર પાકિસ્તાન જ નહીં, પણ ચીનને પણ જોરદાર આંચકો લાગ્યો છે.

TV9 Gujarati

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદ્ (UNSC)એ ગત 14 ફેબ્રુઆરીએ ભારતમાં થયેલા પુલવામા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. યૂએનએસસીએ માત્ર આ હુમલાની ટીકા જ નથી કરી, પણ ભારતને પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટેની પૂરી આઝાદી પણ આપી છે.

યૂએનએસસીએ અપીલ કરી છે કે પુલવામા આતંકી હુમલાના ગુનેગારોને સજા અપાવવા માટે તમામ દેશો ભારત સાથે સહયોગ કરે.

જોકે યૂએનએસસીમાં પુલવામા આતંકી હુમલા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર થઈ ગયો, પરંતુ તેમાં ફરી એક વાર ચીને વિઘ્ન નાખવાની કોશિશ કરી, પરંતુ તેનો આ એક પણ દાવ સફલ ન થઈ શક્યો અને મજબૂર થઈ ચીને જૈશ એ મોહમ્મદ (JEM)ના ચીફ આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ નિવેદન પર સહી કરવી પડી. હવે પાકિસ્તાન ચોતરફથી ઘેરાઈ ગયું છે. આખી દુનિયા તેની વિરુદ્ધ બોલી રહી છે.

યૂએનએસસીએ આ ઘટનાના ગુનેગારો, કાવતરાખોરો અને તેમને નાણા પૂરા પાડનારાઓને આ નિંદનીય કૃત્ય માટે જવાબદાર ઠેરવવા અને ન્યાયના દાયરામાં લાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)ની 15 શક્તિશાળી દેશોના એકમ યૂએનએસસીએ પોતાના નિવેદનમાં પાકિ્તાનના આતંકવાદી જૂથ જૈશ એ મોહમ્મદનું નામ પણ લીધું.

યૂએનએસસી તરફથી જાહેર કરાયેલી એક પ્રોસનોટમાં કહેવાયું છે, ‘યૂએનએસસીના સભ્યો 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં જઘન્ય અને કાયરાના રીતે થયેલા આત્મઘાતી હુમલાની કડક ટીકા કરે છે કે જેમાં ભારતના અર્ધસૈનિક દળના 40 જવાનો શહીદ થયા હતાં અને આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી.’ નિવેદનમાં આતંકવાદને આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સલામતી માટે ગંભીર ખતરાઓણાંનો એક ગણાવાયો છે.

[yop_poll id=1676]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article