કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 હજારથી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના 700 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે અને અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તે કોરોનાથી સંક્રમિત છે. બ્રિટિશ વડાપ્રધાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ