પાકિસ્તાનની એ 3 જગ્યાઓ જ્યાં ભારતીય વાયુ સેનાના વિમાનો વહેલી સવારમાં ત્રાટક્યાં અને કરી દીધી એર-સ્ટ્રાઈક

|

Feb 26, 2019 | 9:37 AM

પાકિસ્તાનને તેની જ ભાષામાં વળતો જવાબ ભારતની વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર હુમલો કરી દીધો છે. કઈ જગ્યાએ ભારતીય વાયુ સેનાના મિરાજ-2000 વિમાન ત્રાટક્યાં છે અને તે જગ્યા ક્યાં આવેલી છે તેના વિશે જાણીશું.  મીડિયામાં મુખ્યત્ત્વે સવારથી ત્રણ જગ્યાઓ પર ચર્ચા ચાલી રહી છે જ્યાં ભારતીય વાયુસેનાએ એર-સ્ટ્રાઈક કરી છે. આ જગ્યાઓમાં પ્રથમ છે મુજ્જફરાબાદ, બીજી […]

પાકિસ્તાનની એ 3 જગ્યાઓ જ્યાં ભારતીય વાયુ સેનાના વિમાનો વહેલી સવારમાં ત્રાટક્યાં અને કરી દીધી એર-સ્ટ્રાઈક

Follow us on

પાકિસ્તાનને તેની જ ભાષામાં વળતો જવાબ ભારતની વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર હુમલો કરી દીધો છે. કઈ જગ્યાએ ભારતીય વાયુ સેનાના મિરાજ-2000 વિમાન ત્રાટક્યાં છે અને તે જગ્યા ક્યાં આવેલી છે તેના વિશે જાણીશું. 

મુજ્જફ્ફરાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની

મીડિયામાં મુખ્યત્ત્વે સવારથી ત્રણ જગ્યાઓ પર ચર્ચા ચાલી રહી છે જ્યાં ભારતીય વાયુસેનાએ એર-સ્ટ્રાઈક કરી છે. આ જગ્યાઓમાં પ્રથમ છે મુજ્જફરાબાદ, બીજી જગ્યા છે ચકોઠી અને ત્રીજી જગ્યા બાલાકોટ ગણવામાં આવી રહી છે.

1. મુજ્જફ્ફરાબાદ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુજ્જફ્ફરાબાદને ગણવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણાંબઘાં જંગલો આવેલાં જેમાં આતંકીઓ પોતાના કેમ્પ ચલાવે છે. લાઈન ઓફ કંટ્રોલ પર ભારત અને પાકિસ્તાનની સેના પોતાની બાજ નજર રાખે છે અને આ વિસ્તારમાં નાના-મોટા છમકલાં થતા જ રહે છે. મુજ્જફ્ફરાબાદ પાકિસ્તાનની હેઠળ આવતો સુંદર પ્રકૃતિથી ભરપૂર વિસ્તાર છે જ્યાં ગાઢ જંગલોમાં આતંકવાદી સંગઠનોએ પોતાના કેમ્પ બનાવી રાખ્યા છે.

2.ચકોઠી


ચકોઠી પણ પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરનો વિસ્તાર છે અને આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુજ્જફ્ફરાબાદથી લગભગ 56 કિમી દૂર છે. ભારત અને પાકિસ્તાનની નિયંત્રણ રેખાથી આ વિસ્તાર 18કિમી દૂર આવેલો છે. આ વિસ્તારમાં આસાનીથી સંતાઈ જવાના ઠેકાણા હોવાથી પાકિસ્તાનના લશ્કરસ સાથે આતંકી સંગઠનોએ અહીં પોતાનો ડેરો જમાવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

3. બાલાકોટ

આ નામ સવારથી જ ચર્ચામાં આવી રહ્યું છે જ્યાં ભારતીય વાયુ સેનાના વિમાનોએ એર-સ્ટ્રાઈક કરી છે. આ નામના બે વિસ્તાર પાકિસ્તાનમાં આવેલાં છે. આ બાલાકોટ નામનું એક ગામ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર પણ આવેલું છે. બંને વિશે વાત કરીએ જેમાં પ્રથમ બાલાકોટ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું છે. આ ગામ અડધું-અડધું વહેંચાઈ ગયું છે કારણ કે અડધા ગામ પર ભારતનો કબજો છે જ્યારે બાકીના અડધા ગામ પર પાકિસ્તાનનો કબજો છે.

TV9 Gujarati

 

હવે બીજા મોટા બાલાકોટ વિશે વાત કરીએ તો તે પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરના ખૈંબરપ્રાંતમાં આવેલું છે. આ બાલાકોટ પાકિસ્તાનમાં કુનહાર નદીના કિનારે વસેલું છે અને થોડાંક આગળ જતાં જ કુનહાર નદીને જેલમ નદી મળે છે. બાલાકોટ પીર-પંજાલ રેંજનો હિસ્સો ગણવામાં આવે છે. મુજ્જફ્ફરાબાદથી આ બાલાકોટ 40કિમી દૂર આવેલું છે. આ પાકિસ્તાનનો હિસ્સો છે. આમ ભારત દ્વારા પણ નિવેદન તો આપી દેવાયું પણ બાલાકોટમાંથી ક્યાં બાલાકોટને ભારતના વિમાનોએ નિશાન બનાવ્યું તેના વિશે જાણી શકાયું નથી.

[yop_poll id=1824]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article