
છેલ્લા કેટલાક સમયથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં ચાલી રહેલી સરકાર ગમે ત્યારે પડી શકે છે. હવે લોકોનો મોદી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ગઠબંધનના અન્ય સહયોગીઓ મોદીથી ખુશ નથી. યુવાનોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ છે અને તેઓ ગમે ત્યારે વિદ્રોહ પર ઉતરી શકે છે. છેલ્લા થોડા મહિનાઓમાં આવું ક્યાંકને ક્યાંક વાંચવા કે સાંભળવા મળ્યુ હશે. જ્યારે બીજી તરફ આ જ ટાઈમલાઈન પર આપણા પાડોશી દેશોમાં કેટલીક એવી ઘટનાઓ ઘટે છે જે આપણને વિચારવા માટે મજબુર કરે છે. બહુ દૂર જવાની જરૂર નથી હજુ ગત વર્ષે જૂન-જૂલાઈમાં બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા અને હાલમાં જ નેપાળમાં ભડકેલા વિદ્રોહે ત્યાંના સત્તાધિશોના સિંહાસનોને હચમચાવી દીધા. આ વિરોધમાં એક વસ્તુ જે સમાન જોવા મળી હતી, તે એ હતી કે આ બંને દેશ ભારતના પડોશી દેશ છે, જેમની સાથે આપણા ઘણા સારા સંબંધો છે, બીજુ એ કે આ વિદ્રોહનું મુખ્ય કારણ જેને જેન-જી આંદોલનનું નામ આપવામાં આવ્યુ. ત્રીજુ આ વિદ્રોહના કારણે જે પણ સમીકરણ સામે...
Published On - 6:46 pm, Mon, 17 November 25