Melbourneમાં તમિલ હિન્દુઓએ 20 કરોડ રૂપિયાથી કર્યું નવીનીકરણ, જાણો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધનું આ એકમાત્ર મંદિર?

|

Mar 01, 2021 | 6:30 PM

આ મંદિરની ડિઝાઇન વર્લ્ડ હેરિટેજ થંજાવુરના બૃહદિસ્વરા મંદિરમાંથી લેવામાં આવી છે. ગણેશ મંદિર ઉપરાંત અન્ય દેવી-દેવતાઓના 11 મંદિરો પણ બનાવવામાં આવ્યા છે.

Melbourneમાં તમિલ હિન્દુઓએ 20 કરોડ રૂપિયાથી કર્યું નવીનીકરણ, જાણો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધનું આ એકમાત્ર મંદિર?
The Srivakratund Vinayagar temple in Melbourne is the only temple in the southern hemisphere of the earth outside India, built of granite stone.

Follow us on

Melbourne નું શ્રીવક્રતુંડ વિનયગર મંદિર, ભારતની બહાર પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એકમાત્ર મંદિર છે, જે ગ્રેનાઇટ પથ્થરથી બનેલું છે. ભગવાન ગણેશનું આ મંદિર તાજેતરમાં એક નવા દેખાવ સાથે ખોલવામાં આવ્યું છે. આ મંદિરની ડિઝાઇન વર્લ્ડ હેરિટેજ થંજાવુરના બૃહદિસ્વરા મંદિરમાંથી લેવામાં આવી છે.

મંદિર સમિતિના અધ્યક્ષ બાલા કાંડિયાના જણાવ્યા અનુસાર, મંદિરનું બાંધકામ ગયા વર્ષે જૂન મહિનામાં સમાપ્ત થવાનું હતું, પરંતુ કોરોના વાયરસને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. 20 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. અહીં ગણેશ મંદિર ઉપરાંત અન્ય દેવી-દેવતાઓના 11 મંદિરો પણ બનાવવામાં આવ્યા છે.

મૂર્તિ ખરીદવા નહ્તા પૈસા, શંકરાચાર્ય દ્વારા આપેલી ઈંટથી નંખાયો પાયો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શ્રી વક્રતુંડ વિનયગર મંદિરના મેનેજિંગ કમિટીના અધ્યક્ષ બાલા કાંડિયાએ જણાવ્યું છે કે, 1988 માં શ્રીલંકામાં ગૃહ યુદ્ધ શરૂ થતાંની સાથે જ તમિળ હિંદુઓએ દેશ છોડી દીધો હતો. તેણે ઑસ્ટ્રેલિયામાં આશરો લીધો. મેલબોર્નમાં દક્ષિણ ભારતીય મંદિર નહોતું, તેથી લોકોએ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ આ માટે કોઈની પાસે પૈસા નહોતા. મંદિરના વર્તમાન સચિવ શાન પિલ્લઇ તામિલનાડુથી મૂર્તિ લાવ્યા હતા. આ પછી, દાન આપવાનું શરૂ થયું. 1990માં મેલબોર્નના પૂર્વીય ભાગમાં જમીન ખરીદી હતી.

350 ટન ગ્રેનાઈટનો થયો ઉપયોગ
17 સ્તરોમાં 350 ટન ગ્રેનાઈટના 1200 વિવિધ પત્થરો છે, એક ઉપર એક જોડાઈને એમ 17 સ્તરમાં લાગ્યા છે. સૌથી નાના પથ્થરનું વજન 250 કિલો છે,અને સૌથી ભારે 6 ટનનો પત્થર છે. તામિલનાડુના મહાબલિપુરમના 100 કારીગરો દ્વારા ગ્રેનાઇટ પત્થરો કોતરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. ડિઝાઇનમાં, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર અરૂણ અને ચેન્નાઇના ઉમા નરસિમ્હે સહયોગ આપ્યો છે.

Next Article