Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર્યું કે, આ 2 મોટી ‘ભૂલો’ને કારણે દેશ કંગાળ બન્યો, પરિવારના સભ્યોને કેબિનેટમાંથી હટાવ્યા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સ્વીકાર્યું છે કે તેમણે ભૂલો કરી હતી જેના કારણે દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાં (Economic Crisis) ફસાઈ ગયો હતો.

Sri Lanka: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર્યું કે, આ 2 મોટી 'ભૂલો'ને કારણે દેશ કંગાળ બન્યો, પરિવારના સભ્યોને કેબિનેટમાંથી હટાવ્યા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 1:02 PM

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Sri Lanka President Gotabaya Rajapaksa) સ્વીકાર્યું છે કે તેમણે ભૂલો કરી હતી, જેના કારણે દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાં (Economic Crisis) ફસાઈ ગયો હતો. રાષ્ટ્રપતિએ પણ પોતાની ભૂલો સુધારવાનો સંકલ્પ લીધો છે. રાજપક્ષેએ સોમવારે 17 મંત્રીઓની નવી કેબિનેટની રચના કરી, જેમાં તેમના ભાઈ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે તેમના પરિવારમાંથી એકમાત્ર સભ્ય છે. અગાઉ ઉચ્ચ હોદ્દા પર રહેલા પરિવારના સભ્યોની સંખ્યા 7 હતી. નવી કેબિનેટ (Sri Lanka Cabinet) સમક્ષ રાષ્ટ્રપતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ગોટબાયા રાજપક્ષેએ કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો છે. કોવિડ-19 દેવાનો બોજ અને કેટલીક ભૂલો અમારી હતી.

તેમને સુધારવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. આપણે તેમને ઠીક કરીને આગળ વધવું પડશે. અમારે ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો પડશે. ગોટબાયા રાજપક્ષેએ કહ્યું કે, તેઓ 2020માં રાસાયણિક ખાતરો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર ખેદ વ્યક્ત કરે છે. જેના કારણે ખાદ્ય ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને દેશમાં ભારે વિરોધ થયો હતો. તેમણે કહ્યું કે, તેમનો નિર્ણય એક ભૂલ હતો અને હવે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગ્રીન એગ્રીકલ્ચર પોલિસી લાગુ કરવામાં આવી

રાજપક્ષે 2020ના મધ્યમાં જૈવિક ખાતરો સાથે ગ્રીન એગ્રીકલ્ચર પોલિસી લાગુ કરવા માટે આયાતી ખાતરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, તેમની સરકારે રાહત માટે ઘણા સમય પહેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે જવું જોઈતું હતું અને IMF પાસે ન જવું એ એક ભૂલ હતી. IMFની વાર્ષિક બેઠક આ અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાઈ રહી છે. શ્રીલંકાના નાણામંત્રી અલી સેબરી અને અન્ય અધિકારીઓ આ માટે રવાના થઈ ગયા છે.

તમારો ફોન એક મહિનામાં કેટલી વીજળી વાપરે છે?
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન

શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે

શ્રીલંકા આર્થિક કટોકટી સાથે ઝઝૂમી રહ્યું છે અને દેશ વિદેશી વિનિમયની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે તે ખોરાક અને બળતણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. શ્રીલંકાએ ખોરાક અને ઈંધણ ખરીદવા માટે ઈમરજન્સી લોન માટે ચીન અને ભારતનો સંપર્ક કર્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે શ્રીલંકા તેનો મોટાભાગનો માલ આયાત કરે છે. પરંતુ હવે તેની પાસે આ સામાન ખરીદવા માટે પૈસા બચ્યા નથી. જેના કારણે લોકોને દૂધથી લઈને ચોખા પણ મળતા નથી. દેશમાં વીજળી પણ 16-16 કલાક જતી રહે છે. આ જ કારણ છે કે લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવાનું કહી રહ્યા છે.

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">