AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર્યું કે, આ 2 મોટી ‘ભૂલો’ને કારણે દેશ કંગાળ બન્યો, પરિવારના સભ્યોને કેબિનેટમાંથી હટાવ્યા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સ્વીકાર્યું છે કે તેમણે ભૂલો કરી હતી જેના કારણે દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાં (Economic Crisis) ફસાઈ ગયો હતો.

Sri Lanka: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર સ્વીકાર્યું કે, આ 2 મોટી 'ભૂલો'ને કારણે દેશ કંગાળ બન્યો, પરિવારના સભ્યોને કેબિનેટમાંથી હટાવ્યા
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 1:02 PM
Share

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Sri Lanka President Gotabaya Rajapaksa) સ્વીકાર્યું છે કે તેમણે ભૂલો કરી હતી, જેના કારણે દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાં (Economic Crisis) ફસાઈ ગયો હતો. રાષ્ટ્રપતિએ પણ પોતાની ભૂલો સુધારવાનો સંકલ્પ લીધો છે. રાજપક્ષેએ સોમવારે 17 મંત્રીઓની નવી કેબિનેટની રચના કરી, જેમાં તેમના ભાઈ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે તેમના પરિવારમાંથી એકમાત્ર સભ્ય છે. અગાઉ ઉચ્ચ હોદ્દા પર રહેલા પરિવારના સભ્યોની સંખ્યા 7 હતી. નવી કેબિનેટ (Sri Lanka Cabinet) સમક્ષ રાષ્ટ્રપતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ગોટબાયા રાજપક્ષેએ કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો છે. કોવિડ-19 દેવાનો બોજ અને કેટલીક ભૂલો અમારી હતી.

તેમને સુધારવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. આપણે તેમને ઠીક કરીને આગળ વધવું પડશે. અમારે ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો પડશે. ગોટબાયા રાજપક્ષેએ કહ્યું કે, તેઓ 2020માં રાસાયણિક ખાતરો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર ખેદ વ્યક્ત કરે છે. જેના કારણે ખાદ્ય ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને દેશમાં ભારે વિરોધ થયો હતો. તેમણે કહ્યું કે, તેમનો નિર્ણય એક ભૂલ હતો અને હવે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગ્રીન એગ્રીકલ્ચર પોલિસી લાગુ કરવામાં આવી

રાજપક્ષે 2020ના મધ્યમાં જૈવિક ખાતરો સાથે ગ્રીન એગ્રીકલ્ચર પોલિસી લાગુ કરવા માટે આયાતી ખાતરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, તેમની સરકારે રાહત માટે ઘણા સમય પહેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે જવું જોઈતું હતું અને IMF પાસે ન જવું એ એક ભૂલ હતી. IMFની વાર્ષિક બેઠક આ અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાઈ રહી છે. શ્રીલંકાના નાણામંત્રી અલી સેબરી અને અન્ય અધિકારીઓ આ માટે રવાના થઈ ગયા છે.

શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે

શ્રીલંકા આર્થિક કટોકટી સાથે ઝઝૂમી રહ્યું છે અને દેશ વિદેશી વિનિમયની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે તે ખોરાક અને બળતણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. શ્રીલંકાએ ખોરાક અને ઈંધણ ખરીદવા માટે ઈમરજન્સી લોન માટે ચીન અને ભારતનો સંપર્ક કર્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે શ્રીલંકા તેનો મોટાભાગનો માલ આયાત કરે છે. પરંતુ હવે તેની પાસે આ સામાન ખરીદવા માટે પૈસા બચ્યા નથી. જેના કારણે લોકોને દૂધથી લઈને ચોખા પણ મળતા નથી. દેશમાં વીજળી પણ 16-16 કલાક જતી રહે છે. આ જ કારણ છે કે લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિને રાજીનામું આપવાનું કહી રહ્યા છે.

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">