AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: કટોકટી જાહેર કર્યા પછી કોલંબોમાં દુકાનો ખુલી, રાષ્ટ્રપતિ રાજપક્ષે વિરોધ ન વધે તે માટે સેનાને રસ્તા પર ઉતારી

શ્રીલંકામાં ઈંધણ, ખાદ્યપદાર્થો અને દવાઓની ગંભીર અછત હાલમાં સર્જાઈ છે, જેના કારણે સરકાર વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પરંતુ સરકારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી છે.

Sri Lanka: કટોકટી જાહેર કર્યા પછી કોલંબોમાં દુકાનો ખુલી, રાષ્ટ્રપતિ રાજપક્ષે વિરોધ ન વધે તે માટે સેનાને રસ્તા પર ઉતારી
Protests in Colombo - Sri Lanka
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:52 PM
Share

ઈમરજન્સી જાહેર કર્યાના એક દિવસ બાદ શ્રીલંકાની (Sri Lanka) રાજધાની કોલંબોમાં (Colombo) આજે દુકાનો ખોલવામાં આવી રહી છે. અહીં કોઈ પણ પ્રકારનો વિરોધ ન વધે તે માટે સેનાને રસ્તાઓ પર ઉતારવામાં આવી છે. આર્થિક સંકટના (Economic Crisis) કારણે શ્રીલંકામાં લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આસમાનને આંબી ગયેલી મોંઘવારીના કારણે દેશભરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે હાહાકાર મચી ગયો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે દેશવ્યાપી ઈમરજન્સી લાદવાની જાહેરાત કરી છે.

રાજપક્ષેએ ગઇકાલે (01/04/2022) મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી રાષ્ટ્રવ્યાપી ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ ગેઝેટ નોટિફિકેશનમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે, “મારા મતે, શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી કટોકટી લાદવી એ જાહેર સુરક્ષા વ્યવસ્થા જાળવવા તેમજ સમુદાયોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના પુરવઠાના હિતમાં છે.”

આ એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે કે જ્યારે આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાને લઈને રવિવારે દેશમાં એક વિશાળ પ્રદર્શન ચાલી રહ્યું છે. કટોકટી પર ટિપ્પણી કરતા, સ્વતંત્ર થિંક-ટેન્ક ‘સેન્ટર ફોર પોલિસી ઓલ્ટરનેટિવ્સ’એ કહ્યું કે, ”બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા કેટલાક મૂળભૂત અધિકારોને પ્રતિબંધો અવરોધી શકે છે. આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાથી માંડીને વિધાનસભા, ચળવળ, વ્યવસાય, ધર્મ, સંસ્કૃતિ અને ભાષાની સ્વતંત્રતા છે.”

પ્રતિબંધો પર દર 30મા દિવસે સંસદ દ્વારા મંજૂરી લેવી જોઈએ

આ અંગે, વકીલોએ ધ્યાન દોર્યું હતું કે આ પ્રતિબંધો પોલીસને ગેરકાયદેસર રીતે ભેગા થતા લોકોની ધરપકડ કરવાની મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધો લાગુ થયાના દર 30મા દિવસે સંસદની મંજૂરી લેવી જોઈએ. રાજપક્ષેના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા વિરોધીઓના જૂથને કોર્ટે જામીન આપવાનો આદેશ આપ્યો હતો. તે બાદ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

54માંથી 21 દેખાવકારોને જામીન મળ્યા

એડવોકેટ નુવાન બોપગેએ જણાવ્યું હતું કે, ”ધરપકડ કરાયેલા 54 પ્રદર્શનકારીઓમાંથી 21ને જામીન આપવામાં આવ્યા છે, જ્યારે છને આગામી તા. 4 એપ્રિલ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને બાકીના 27 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.” તેમણે આગળ કહ્યું કે, ”તે ખૂબ જ મહત્વપૂર્ણ ઓર્ડર હતો. કોર્ટે પોલીસને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ દરેક દેખાવકારોના આરોપોને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવા કહ્યું હતું. પોલીસ આ કરી શકી નથી.”

સરકારે રાજપક્ષેના નિવાસસ્થાનની બહાર દેખાવો માટે વિપક્ષી રાજકીય પક્ષો સાથે જોડાયેલા એક ઉગ્રવાદી જૂથને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે, વિરોધીઓએ કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય જૂથથી પ્રેરિત નથી અને તેમનો ઉદ્દેશ્ય માત્ર સરકારી સ્તરે લોકો દ્વારા સામનો કરવામાં આવતી ફરિયાદોનો ઉકેલ શોધવાનો છે. જો કે, આ પ્રદર્શન હિંસક બની જતાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને સેંકડો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો – સરકાર તોડવાના આરોપમાં ઈમરાન ખાન ‘બેકફૂટ’ પર, હવે બાજવાએ કમાન સંભાળી, કહ્યું- અમેરિકા સાથે સારા સંબંધો ઈચ્છે છે

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">