શ્રીલંકામાં ઈંધણની કટોકટી : પેટ્રોલ પંપ પર ખડકી દેવાઈ સેના, સૈનિકોની હાજરીમાં થઈ રહ્યું છે પેટ્રોલનુ વિતરણ

|

Mar 23, 2022 | 11:41 AM

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયે બુધવારે ઈંધણના આર્થિક સંકટ અંગે ચર્ચા કરવા તમામ રાજકીય પક્ષોની સમિટની જાહેરાત કરી હતી.

શ્રીલંકામાં ઈંધણની કટોકટી : પેટ્રોલ પંપ પર ખડકી દેવાઈ સેના, સૈનિકોની હાજરીમાં થઈ રહ્યું છે પેટ્રોલનુ વિતરણ
Fuel Shortage in Srilanka

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) ઈંધણની અછતને કારણે પેટ્રોલ પંપ(Petrol Pump) પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મંગળવારે પેટ્રોલ પંપ પર તૈનાત સેનાને ઈંધણના વિતરણના (Fuel Distribution)સંચાલન અને દેખરેખ માટે તૈનાત કરવી પડી હતી. વિદેશી હૂંડિયામણના અભાવે દેશમાં ભારે આર્થિક અને ઊર્જા સંકટ (Fuel Crisis) સર્જ્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો અને ઈંધણની અછતના કારણે હજારો લોકોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. લોકોને દરરોજ કલાકો સુધી વીજકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ પંપ પર સેના તૈનાત કરવાની ફરજ પડી

મંગળવારે સવારે નિઃશસ્ત્ર સૈનિકો સરકારી માલિકીની સેલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા સંચાલિત પંપ પર લોકોને નિયંત્રિત કરતા જોવા મળ્યા હતા. ઉર્જા મંત્રી ગામિની લોકુગેએ જણાવ્યુ હતુ કે, કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અમે પેટ્રોલ પંપ પર લશ્કરી જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે લોકો વેપાર કરવા માટે કેનમાં ઈંધણ લઈ રહ્યા છે.

નાગરિકોની મુશ્કેલી વધી

સૈનિકો ખાતરી કરશે કે લોકોમાં ઈંધણનું(Fuel) યોગ્ય વિતરણ થાય છે. તમને જણાવી દઈએ કે, ઈંધણ માટે કતારમાં ઉભેલા લોકોમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. વિદેશી હૂંડિયામણની કટોકટીના કારણે ઇંધણ, રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત અટકી જતા હાલ નાગરિકોની મુશ્કેલી વધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતે શ્રીલંકાને લોન આપી

શ્રીલંકાની સરકારે ભારત પાસેથી લોનની મદદ માગી હતી, જેના પછી ગયા અઠવાડિયે ભારતે આર્થિક સંકટને(Financial Crisis) દૂર કરવા માટે એક અબજ ડોલરની લોન આપી હતી. આ લોન ભારત દ્વારા શ્રીલંકાને ખાદ્યપદાર્થો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજોની ખરીદી માટે આપવામાં આવી છે. આ માટે બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ડીલ વિશે માહિતી આપી.ઉલ્લેખનીય છે કે,આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે એક અબજ ડોલરની લોન સુવિધા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Russia-Ukraine War: શું રશિયા યુક્રેન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે ? ક્રેમલિને આપી ધમકી, જાણો સમગ્ર વિગત

Next Article