South Africa : મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 7 વર્ષની જેલની સજા, ખોટા દસ્તાવેજો મામલે કરી હતી છેતરપિંડી
South Africa : દક્ષિણ આફ્રિકામાં રહી મહાત્મા ગાંધીની પપૌત્રીને છેતરપિંડીના આરોપમાંં જેલની સજા થઈ છે. 56 વર્ષની આશિષ લતા રામગોબિન(Ashish Lata Ramgobin)ને ડરબનની એક અદાલતે 60 લાખ રુપિયાનો માનહાની અને છેતરપિંડી મામલે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.

South Africa : દક્ષિણ આફ્રિકામાં રહી મહાત્મા ગાંધીની પપૌત્રીને છેતરપિંડીના આરોપમાંં જેલની સજા થઈ છે. 56 વર્ષની આશિષ લતા રામગોબિન(Ashish Lata Ramgobin)ને ડરબનની એક અદાલતે 60 લાખ રુપિયાની માનહાની કેસ અને છેતરપિંડી મામલે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.
સોમવારના રોજ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં આશિષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.પોતાને કારોબારી જણાવનાર લતાએ સ્થાનિક કારોબારી સાથે માનહાનિથી 62 લાખ રુપિયાની છેતરપિંડી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા એસઆર મહારાજે ( SR maharaj)જણાવ્યું કે, લતાએ તેમણે નફાની લાલચ આપી તેમની પાસેથી પૈસા લીધા હતા.
લતા પર બિઝનેસમેન એસઆર મહારાજ (Businessman SR maharaj)સાથે છેતરપિંડીનો આરોપ હતો. મહારાજે લતાને એક માલની આયાત અને કસ્ટમ ક્લિયર કરવા માટે 60 લાખ રુપિયા આપ્યા હતા પરંતુ આવું કોઈ જ કનસાઈમેન્ટ હતુ જ નહિ. લાતએ મહારાજને નફામાં ભાગ આપવાનું વચન આપ્યું હતું.
લતા રામગોબિન (Ramgobin)મશહુર માનવધિકાર ઈલા ગાંધી (Ela Gandhi) અને દિવંગત મેવા રામગોવિંદની પુત્રી છે. લતાને ડરબન સ્પેશલાઈઝ્ડ કમર્શિયલ ક્રાઈમ કોર્ટે દોષી કરાર થતા સજા બંન્ને વિરુદ્ધ અપીલ કરવાની પરવાનગી આપવાથી ઈન્કાર કર્યો હતો. સોમવારના રોજ સુનાવણી દરમિયાન કોર્ટ જણાવ્યું કે, લતા રામગોબિને ન્યુ આફ્રિકા એલાયન્સ ફુટવિયર ડિસ્ટ્રિબ્યુટરના ડાયરેક્ટર મહારાજા સાથે ઓગસ્ટ 2015માં મુલાકાત કરી હતી.
મહારાજાની કંપની કપડા, લિનનના કપડા અને ફુટવેરના આયત કરે છે. મહારાજાની કંપની અન્ય કંપનીને પ્રોફિટ-શેરના આધાર પર પૈસા પણ આપે છે. લતા રામગોબિન(Ramgobin)ને મહારાજાને કહ્યું હતુ કે, તેમણે દક્ષિણ આફ્રિકાSouth Africa ની હોસ્પિટલ ગ્રુપ નેટકેયર માટે લિનન કપડાના 3 કન્ટેનર ખરીદ્યા છે.
આ સિવાય લતાએ મહારાજને કહ્યું કે, તેમને 62 લાખ રુપિયાની જરુર છે. તેમની વાતને સિદ્ધ કરવા માટે તેમણે સાઈન કરેલા ખરીદીનો ઓર્ડર મોકલ્યો છે. તે લતાએ ખરીદ્યો હતો પરંતુ મહારાજાને અંતે જાણ થઈ કે, જે દસ્તાવેજો તેમને બતાવવામાં આવ્યા હતા તે ખોટા છે અને તેમણે લતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
NGO ઈન્ટરનેશનલ સેન્ટર ફોર અહિંસામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રામગોબિને પોતાને પર્યાવરણ, સામાજીક અને રાજકીય કાર્યકર તરીકે રજુ કર્યો છે. ઈલા ગાંધી(Ela Gandhi)ને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમના કામો માટે કેટલીક વખત સન્માનિત કરવામાં આવ્યા છે.