Russia Ukraine War: રશિયા-યુક્રેન 5મી રાઉન્ડની બેઠક આજે, યુદ્ધમાં અત્યાર સુધીમાં 902 નાગરિકોના મોત, 1459 ઘાયલ

|

Mar 21, 2022 | 6:58 AM

યુદ્ધના 25 દિવસમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ આ વાતચીતમાંથી ખાસ કંઈ બહાર આવ્યું નથી. હવે આવતીકાલે મંત્રણાનો પાંચમો રાઉન્ડ થશે. જોવાનું રહેશે કે આ વાતચીતમાં બંને દેશ ક્યાં સુધી આગળ વધે છે.

Russia Ukraine War: રશિયા-યુક્રેન 5મી રાઉન્ડની બેઠક આજે, યુદ્ધમાં અત્યાર સુધીમાં 902 નાગરિકોના મોત, 1459 ઘાયલ
Russia-Ukraine 5th round meeting today

Follow us on

Russia Ukraine War:રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 25 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બંને દેશો વચ્ચે આજે પાંચમા રાઉન્ડની વાતચીત થશે. યુદ્ધના 25 દિવસમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ આ વાતચીતમાંથી ખાસ કંઈ બહાર આવ્યું નથી. હવે આવતીકાલે મંત્રણાનો પાંચમો રાઉન્ડ થશે. સોમવારે, રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વાટાઘાટોના પાંચમા રાઉન્ડનું આયોજન કરશે.

અગાઉ બંને દેશો વચ્ચે તુર્કીમાં વિદેશ મંત્રીના સ્તરે વાતચીત થઈ હતી, પરંતુ યુદ્ધવિરામને લઈને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો નહોતો. પાંચમા રાઉન્ડની વાતચીતમાં એ જોવાનું રહેશે કે બંને દેશ ક્યાં સુધી આગળ વધી શકે છે. યુદ્ધવિરામને લઈને બંને પક્ષો વચ્ચે શું ઉકેલ આવે છે તેના પર તમામની નજર રહેશે.

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ઉચ્ચાયુક્ત કાર્યાલયે કહ્યું છે કે આ યુદ્ધમાં ઓછામાં ઓછા 902 નાગરિકો માર્યા ગયા છે અને 1459 ઘાયલ થયા છે. જોકે, હાઈ કમિશનરની ઓફિસનું કહેવું છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. તે જ સમયે, મેરીયુપોલ અધિકારીઓનો દાવો છે કે એકલા આ (મારીયુપોલ) શહેરમાં 2400 થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે બંને દેશ નાગરિકો અને સૈનિકોની હત્યાને લઈને અલગ-અલગ દાવા કરી રહ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

યુદ્ધમાં રશિયાને પણ ભારે નુકસાન થયું, 14700 સૈનિકો માર્યા ગયા

યુક્રેનના વિદેશ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે 20 માર્ચ સુધીમાં 14,700 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના ઘણા હથિયારો નષ્ટ થઈ ચૂક્યા છે. મંત્રાલયે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં રશિયાએ 1487 બખ્તરબંધ વાહનો, 118 હેલિકોપ્ટર, 96 એરક્રાફ્ટ અને 476 ટેન્ક સહિત અનેક હથિયારો ગુમાવ્યા છે.

યુક્રેન રશિયા સાથે ડીલ કરવા તૈયારઃ ઝેલેન્સકી

તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે કહ્યું કે યુક્રેન રશિયા સાથે ડીલ માટે તૈયાર છે. ઝેલેન્સકીએ કહ્યું કે અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત માટે તૈયાર છીએ. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું હતું કે ‘વાટાઘાટ કરવાનો ઇનકાર એ WW3ની ચેષ્ટા છે’. તમને જણાવી દઈએ કે રશિયા યુક્રેન પર સતત આક્રમક છે. રશિયન સેના સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહી છે. રશિયન હુમલાથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. આમ છતાં યુક્રેનની સેના રશિયન સૈનિકોનો મજબૂતીથી સામનો કરી રહી છે.

ગયા અઠવાડિયે લગભગ 40 હજાર લોકોએ માર્યુપોલ છોડી દીધું

રશિયન દળો દ્વારા ઘેરાયેલા યુક્રેનના મેરીયુપોલનું વહીવટીતંત્ર કહે છે કે છેલ્લા અઠવાડિયામાં લગભગ 40,000 લોકોએ શહેર છોડી દીધું છે, જે શહેરની 430,000ની વસ્તીના લગભગ 10 ટકા છે.

લગભગ 1 કરોડ લોકોએ દેશ છોડી દીધો – સંયુક્ત રાષ્ટ્ર

યુએનએચસીઆરના વડા ફિલિપો ગ્રાન્ડીએ કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ એટલું વિનાશક છે કે 10 મિલિયન લોકો કાં તો દેશની અંદર વિસ્થાપિત થયા છે અથવા વિદેશમાં શરણાર્થી બન્યા છે.

આ પણ વાંચો-The Kashmir Files:’ હવે આ એક ફિલ્મ નથી, પણ Emotion છે’,ફિલ્મને લઈને થઈ રહેલા રાજકારણ અંગે અનુપમ ખેરે વ્યક્ત કરી નારાજગી
આ પણ વાંચો-‘હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ’ – અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન
Next Article