Russia-Ukraine War: પુતિને મોસ્કોમાં વિશાળ રેલી યોજી, યુક્રેનિયન શહેરો પર હુમલામાં વધારો કર્યો

|

Mar 19, 2022 | 7:14 AM

સ્પીકર્સે પુતિનને જ્યારે સ્ટેજ પર આવ્યો ત્યારે યુક્રેનમાં નાઝીવાદ સામે લડતા નેતા તરીકે તેમની પ્રશંસા કરી હતી, જોકે આ દાવાને વિશ્વભરના નેતાઓએ નકારી કાઢ્યો હતો.

Russia-Ukraine War: પુતિને મોસ્કોમાં વિશાળ રેલી યોજી, યુક્રેનિયન શહેરો પર હુમલામાં વધારો કર્યો
Russian President Vladimir Putin.
Image Credit source: AFP

Follow us on

Russia-Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે મોસ્કોમાં દેશનો ધ્વજ લહેરાવતી વિશાળ રેલીમાં દેખાયા હતા. તેઓએ યુક્રેન (Ukraine)ના શહેરો પર તોપમારો અને મિસાઈલ હુમલાઓ સાથે તેમના ઘાતક હુમલામાં વધારો કર્યો છે. મોસ્કો પોલીસે (Moscow police) જણાવ્યું કે લુઝનિકી સ્ટેડિયમ અને તેની આસપાસ બે લાખથી વધુ લોકો હાજર હતા. આ રેલી યુક્રેનથી કબજે કરાયેલા ક્રિમિયન દ્વીપકલ્પ પર રશિયાના કબજાની આઠમી વર્ષગાંઠ નિમિત્તે યોજવામાં આવી હતી.

ઇવેન્ટમાં, ગાયક ઓલેગ ગાઝમાનવએ ‘મેડ ઇન ધ યુએસએસઆર’ ગીત ગાયું

પુતિન જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે યુક્રેનમાં નાઝીવાદ સામે લડતા નેતા તરીકે તેમની પ્રશંસા કરી હતી, જોકે આ દાવાને વિશ્વભરના નેતાઓએ નકારી કાઢ્યો હતો. દરમિયાન, રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ સાથે જ પશ્ચિમી શહેર લ્વિવની બહારના વિસ્તારમાં અનેક મિસાઈલો છોડવામાં આવી હતી. લ્વિવ પર આજે વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો હતો. શહેરમાં હોસ્પિટલો, શાળાઓ અને રહેણાંક મકાનો પર હુમલા થયા હતા.

6 માંથી બે મિસાઇલોનો નાશ કર્યો

માહિતી અનુસાર, આ આશ્રયસ્થાનોમાં 1,300 થી વધુ લોકો હતા, એમ યુક્રેનની સંસદના માનવ અધિકાર કમિશનરે જણાવ્યું હતું. અમે તેના જીવતા હોવાની આશા રાખીએ છીએ. આ મિસાઇલ કાળા સમુદ્રમાંથી છોડવામાં આવી હતી, પરંતુ યુક્રેનની વાયુસેનાના પશ્ચિમી કમાન્ડે જણાવ્યું હતું કે તેણે છમાંથી બે મિસાઇલોનો નાશ કર્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

યુક્રેનની સંરક્ષણ રેખા અપેક્ષા કરતા વધુ મજબૂત સાબિત થઈ – ઝેલેન્સકી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, તેણે હોસ્પિટલો પરના 43 હુમલાઓની ચકાસણી કરી હતી, જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને 34 અન્ય ઘાયલ થયા હતા. શુક્રવારે સવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનની સંરક્ષણ રેખા અપેક્ષા કરતા વધુ મજબૂત સાબિત થઈ છે.

યુએનએસસીમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ શુક્રવારે કહ્યું હતું કે ભારત યુક્રેનની બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. અમે રશિયા અને યુક્રેન વચ્ચે રાજદ્વારી વાટાઘાટોના નવીનતમ રાઉન્ડનું સ્વાગત કરીએ છીએ.

આ પણ વાંચો : India vs Australia, Women’s World Cup 2022, Live Score: ઓપનર સ્મૃતિ મંધાના આઉટ, શરુઆતમાં જ ભારતીય ટીમને ઝટકો

Next Article