AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી જોરદાર તબાહી, અત્યાર સુધીમાં 14 બાળક સહિત 352 નાગરિકોના થયા મોત

યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં 352 યુક્રેનિયન માર્યા ગયા છે. જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વિશે માહિતી આપી નથી.

Russia Ukraine Crisis: રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી જોરદાર તબાહી, અત્યાર સુધીમાં 14 બાળક સહિત 352 નાગરિકોના થયા મોત
રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનમાં 352 નાગરિકોના મોત થયા છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:39 AM
Share

રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર દિવસ થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. આ દરમિયાન યુક્રેનના ગૃહ મંત્રાલયે (Ukraine Interior Ministry) કહ્યું છે કે રશિયન હુમલામાં યુક્રેનના 352 નાગરિકો માર્યા ગયા છે. જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વિશે માહિતી આપી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેન સિવાય અન્ય દેશોમાં શરણ લેનારા લોકોની સંખ્યા વધીને 3 લાખ 86 હજાર થઈ ગઈ છે.

યુએન શરણાર્થી એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે રશિયન આક્રમણને પગલે લગભગ 120,000 લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં ગયા છે. આ સંખ્યા ઝડપથી વધી રહી છે, કારણ કે રશિયા યુક્રેનમાં ઝડપથી હુમલા કરી રહ્યું છે. જેના કારણે લોકો ભયભીત છે, જેના કારણે તેઓ સુરક્ષિત જગ્યાની શોધમાં લાગેલા છે. UN હાઈ કમિશનર ફોર રેફ્યુજીસના પ્રવક્તા શબિયા મન્ટુએ જણાવ્યું હતું કે: “લગભગ 116,000 લોકોએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી છે. આ આંકડો વધી શકે છે.

મોટાભાગના લોકોએ પોલેન્ડમાં સ્થળાંતર કર્યું

મન્ટુએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો પોલેન્ડ, મોલ્ડોવા, હંગેરી, રોમાનિયા અને સ્લોવાકિયામાં સ્થળાંતર કરી રહ્યા છે અને કેટલાક બેલારુસ પણ ગયા છે. જો કે શાબિયા પાસે હજુ સુધી કેટલા લોકો કયા દેશમાં સ્થળાંતર કરી ગયા છે તેની માહિતી નથી, એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં મોટાભાગના લોકો પોલેન્ડમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી 20 લાખ યુક્રેનિયનો સ્થાયી થયા છે. 2014માં રશિયાએ યુક્રેનમાં પ્રથમ વખત ઘૂસણખોરી કરી ત્યારથી લોકોએ સુરક્ષિત જગ્યાની શોધ શરૂ કરી હતી.

અમેરિકા સહિત ઘણા દેશોએ પ્રતિબંધ લગાવ્યો

યુક્રેન પર રશિયન હુમલાથી નારાજ યુએસ, કેનેડા અને યુરોપિયન દેશોએ રવિવારે તેની સામે વધુ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોમાં પસંદગીની રશિયન બેંકોને SWIFT મેસેજિંગ સિસ્ટમમાંથી બાકાત રાખવાનો પણ સમાવેશ થાય છે. જર્મની શરૂઆતમાં SWIFT ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમમાંથી ઘણી રશિયન બેંકોને દૂર કરવામાં અચકાતી હતી. પરંતુ અન્ય દેશોનું દબાણ વધ્યા બાદ તે ઝૂકી ગયું.

સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) એ વિશ્વની અગ્રણી બેંકિંગ મેસેજિંગ સેવા છે, જે ભારત સહિત 200 થી વધુ દેશોમાં આશરે 11,000 બેંકો અને નાણાકીય સંસ્થાઓને જોડે છે. પશ્ચિમી દેશોના નેતાઓએ યુક્રેન પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કાર્યવાહીની નિંદા કરી છે અને કહ્યું છે કે મોસ્કો આ બધું યુક્રેનનું મનોબળ તોડવા માટે જ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Ukraine Crisis: સુરક્ષા પરિષદમાં યુક્રેન સંકટ પર વોટિંગથી ભારત ફરી રહ્યું દૂર, હવે આજે સાંજે જનરલ એસેમ્બલીમાં થશે ચર્ચા

આ પણ વાંચો: Russia Ukraine War: પુતિન વિરુદ્ધ યુક્રેને ICJનો દરવાજો ખટખટાવ્યો, કહ્યું- હત્યાકાંડ માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">