Russia Ukraine Crisis: રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી જોરદાર તબાહી, અત્યાર સુધીમાં 14 બાળક સહિત 352 નાગરિકોના થયા મોત

યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં 352 યુક્રેનિયન માર્યા ગયા છે. જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વિશે માહિતી આપી નથી.

Russia Ukraine Crisis: રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી જોરદાર તબાહી, અત્યાર સુધીમાં 14 બાળક સહિત 352 નાગરિકોના થયા મોત
રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનમાં 352 નાગરિકોના મોત થયા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:39 AM

રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર દિવસ થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. આ દરમિયાન યુક્રેનના ગૃહ મંત્રાલયે (Ukraine Interior Ministry) કહ્યું છે કે રશિયન હુમલામાં યુક્રેનના 352 નાગરિકો માર્યા ગયા છે. જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વિશે માહિતી આપી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેન સિવાય અન્ય દેશોમાં શરણ લેનારા લોકોની સંખ્યા વધીને 3 લાખ 86 હજાર થઈ ગઈ છે.

યુએન શરણાર્થી એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે રશિયન આક્રમણને પગલે લગભગ 120,000 લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં ગયા છે. આ સંખ્યા ઝડપથી વધી રહી છે, કારણ કે રશિયા યુક્રેનમાં ઝડપથી હુમલા કરી રહ્યું છે. જેના કારણે લોકો ભયભીત છે, જેના કારણે તેઓ સુરક્ષિત જગ્યાની શોધમાં લાગેલા છે. UN હાઈ કમિશનર ફોર રેફ્યુજીસના પ્રવક્તા શબિયા મન્ટુએ જણાવ્યું હતું કે: “લગભગ 116,000 લોકોએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી છે. આ આંકડો વધી શકે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મોટાભાગના લોકોએ પોલેન્ડમાં સ્થળાંતર કર્યું

મન્ટુએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો પોલેન્ડ, મોલ્ડોવા, હંગેરી, રોમાનિયા અને સ્લોવાકિયામાં સ્થળાંતર કરી રહ્યા છે અને કેટલાક બેલારુસ પણ ગયા છે. જો કે શાબિયા પાસે હજુ સુધી કેટલા લોકો કયા દેશમાં સ્થળાંતર કરી ગયા છે તેની માહિતી નથી, એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં મોટાભાગના લોકો પોલેન્ડમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી 20 લાખ યુક્રેનિયનો સ્થાયી થયા છે. 2014માં રશિયાએ યુક્રેનમાં પ્રથમ વખત ઘૂસણખોરી કરી ત્યારથી લોકોએ સુરક્ષિત જગ્યાની શોધ શરૂ કરી હતી.

અમેરિકા સહિત ઘણા દેશોએ પ્રતિબંધ લગાવ્યો

યુક્રેન પર રશિયન હુમલાથી નારાજ યુએસ, કેનેડા અને યુરોપિયન દેશોએ રવિવારે તેની સામે વધુ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોમાં પસંદગીની રશિયન બેંકોને SWIFT મેસેજિંગ સિસ્ટમમાંથી બાકાત રાખવાનો પણ સમાવેશ થાય છે. જર્મની શરૂઆતમાં SWIFT ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમમાંથી ઘણી રશિયન બેંકોને દૂર કરવામાં અચકાતી હતી. પરંતુ અન્ય દેશોનું દબાણ વધ્યા બાદ તે ઝૂકી ગયું.

સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) એ વિશ્વની અગ્રણી બેંકિંગ મેસેજિંગ સેવા છે, જે ભારત સહિત 200 થી વધુ દેશોમાં આશરે 11,000 બેંકો અને નાણાકીય સંસ્થાઓને જોડે છે. પશ્ચિમી દેશોના નેતાઓએ યુક્રેન પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કાર્યવાહીની નિંદા કરી છે અને કહ્યું છે કે મોસ્કો આ બધું યુક્રેનનું મનોબળ તોડવા માટે જ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Ukraine Crisis: સુરક્ષા પરિષદમાં યુક્રેન સંકટ પર વોટિંગથી ભારત ફરી રહ્યું દૂર, હવે આજે સાંજે જનરલ એસેમ્બલીમાં થશે ચર્ચા

આ પણ વાંચો: Russia Ukraine War: પુતિન વિરુદ્ધ યુક્રેને ICJનો દરવાજો ખટખટાવ્યો, કહ્યું- હત્યાકાંડ માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">