ગૃહ યુદ્ધની તૈયારી ! ઈમરાન ખાનને મુક્ત કરવા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન, શહેરોમાં સેના તૈનાત

|

Oct 06, 2024 | 5:01 PM

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર આ પ્રદર્શનની કમાન્ડ કરી રહ્યા હતા, પરંતુ હવે વિરોધીઓએ દાવો કર્યો છે કે સીએમ ગંડાપુર ગુમ થઈ ગયા છે. આ પછી હવે વિરોધીઓએ નિર્ણય લીધો છે કે સીએમ ગંડાપુરના ગાયબ થયા પછી પણ વિરોધ ચાલુ રહેશે.

ગૃહ યુદ્ધની તૈયારી ! ઈમરાન ખાનને મુક્ત કરવા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન, શહેરોમાં સેના તૈનાત

Follow us on

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થનમાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે શનિવારે ઈસ્લામાબાદના ડી ચોક પહોંચવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે પાર્ટીનું કહેવું છે કે તેઓ ગુમ થઈ ગયા છે.

સીએમ અલી અમીન ગાંડાપુરના રહસ્યમય રીતે ગુમ થયા બાદ પણ પીટીઆઈ પાર્ટીએ ઈમરાન ખાનની મુક્તિના સમર્થનમાં પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. તેમજ પાર્ટીએ આખી રાત બેઠક યોજી હતી. પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી ઈમરાન ખાન આ પ્રદર્શનને સમાપ્ત કરવાનો આદેશ નહીં આપે ત્યાં સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે.

સીએમ ગંડાપુર ગુમ હોવાનો દાવો

પાકિસ્તાન મીડિયા અનુસાર, એક તરફ પાર્ટીએ દાવો કર્યો છે કે સીએમ ગંડાપુર ગુમ થઈ ગયા છે. બીજી તરફ, પાર્ટીનું કહેવું છે કે જો સીએમની ધરપકડ કરવામાં આવે છે, તો પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ સ્વાતિ વિરોધનું નેતૃત્વ કરશે અને જો આ પછી સ્વાતિની ધરપકડ કરવામાં આવશે, તો નવા નેતાની પસંદગી કરવામાં આવશે.

જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024

રાજકીય સમિતિએ સીએમ ગંડાપુરના ગાયબ થવાની ટીકા કરી છે. કમિટીએ એવી પણ ચેતવણી આપી છે કે જો સીએમની ધરપકડ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે.

સેના તૈનાત કરવામાં આવી

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સ્થાપક ઈમરાન ખાને વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. પૂર્વ પીએમ છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. આ પહેલા પણ ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈને દેશમાં દેખાવો થઈ ચૂક્યા છે. જો કે ઈમરાન ખાનના સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શનોને કારણે સરકારે ઈસ્લામાબાદ અને લાહોરમાં 5 થી 17 ઓક્ટોબર સુધી સેના તૈનાત કરી છે.

આ પણ વાંચો: SCOમાં ભાગ લેવા જતા પહેલા પાકિસ્તાનને સાફ શબ્દોમાં આતંકવાદ બાબતે જણાવતા જયશંકર, જાણો શું કહ્યું ?

Next Article