બિઝનેસમેન બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી નવાજ્યા

|

Sep 25, 2019 | 3:30 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ દ્વારા સ્વચ્છતા મિશન માટે ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ વડાપ્રધાન મોદીને જાણીતા બિઝનેસમેન અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સના સંસ્થાપક બિલ ગેટ્સે આપ્યો છે. આ એવોર્ડ પ્રભાવશાળી કામો માટે આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે આ સન્માન આપવામાં આવ્યુ છે. Web Stories […]

બિઝનેસમેન બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી નવાજ્યા

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ દ્વારા સ્વચ્છતા મિશન માટે ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ વડાપ્રધાન મોદીને જાણીતા બિઝનેસમેન અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સના સંસ્થાપક બિલ ગેટ્સે આપ્યો છે. આ એવોર્ડ પ્રભાવશાળી કામો માટે આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે આ સન્માન આપવામાં આવ્યુ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’ પ્રાપ્ત કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન મારૂ નથી પણ તે કરોડો ભારતીયોનું સન્માન છે, જેમને સ્વચ્છ ભારતના સંકલ્પને ના માત્ર સિદ્ધ કર્યો પણ પોતાના રોજિંદા જીવનમાં ઢાળી પણ દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આ એવોર્ડથી નવાજવા પર કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર મને આ એવોર્ડ આપવો, મારા માટે વ્યક્તિગત રૂપથી ખુબ મહત્વપૂર્ણ છે. આ એ વાતનું પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ, કોઈ એક સંકલ્પને પુરો કરવા માટે જોડાઈ જાય તો કોઈ પણ પડકાર પર જીત મેળવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલમાં કોઈ દેશમાં એવું અભિયાન સાંભળવા અને જોવા નથી મળ્યુ. આ અભિયાનની શરૂઆત ભલે અમારી સરકારે કરી હતી પણ તેની જવાબદારી જનતાએ જાતે પોતાના હાથમાં લીધી હતી. તેનું પરિણામ છે કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ કરાવવામાં આવ્યુ. તેનું પરિણામ છે કે 2014 પહેલા જ્યારે ગ્રામીણ સ્વચ્છતાનું પ્રમાણ 40 ટકાથી પણ ઓછુ હતુ, આજે તે વધીને લગભગ 100 ટકા પહોંચી રહ્યુ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article