G-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. રાજધાની પેરિસમાં યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા.
ત્યારબાદ વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ રાખવા માટે કહ્યું અને રાષ્ટ્રગીત માટે ઉભા થવાની અપીલ કરી. વડાપ્રધાન મોદીએ સંબોધન પહેલા એક સ્મારકનું ઉદ્ધાટન કર્યુ. આ સ્મારક એર ઈન્ડિયાના 2 દુર્ઘટના ગ્રસ્ત વિમાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાનું નિધન થયુ હતું.
ત્યારે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે અતુટ મિત્રતા છે અને ભારત અને ફ્રાન્સ જુના મિત્ર છે. જ્યારે ભારત કે ફ્રાન્સને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો અમે એકબીજા માટે ખુશ હોય છે. ફ્રાન્સની ફુટબોલ ટીમના ચાહકો ફ્રાન્સ કરતા ભારતમાં વધુ છે. જ્યારે ફ્રાન્સે વિશ્વ કપ જીત્યુ હતુ ત્યારે ભારતમાં ખુબ જશ્ન મનાવ્યો હતો. અમે દુખમાં પણ એકબીજાની સાથે છીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે જ્યારે હું 4 વર્ષ પહેલા ફ્રાન્સ આવ્યો હતો, ત્યારે હજારોની સંખ્યામાં ભારતીયોની સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં બધા જ સકારાત્મક ફેરફાર થયા છે. આ ફેરફારના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ભારતના ગામડા, ગરીબ, ખેડૂત અને નારી શક્તિ તેના કેન્દ્ર બિંદુ રહ્યા છે. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, લોકોના પૈસાની લુંટ, આતંકવાદ પર જે રીતે પગલા લેવામાં આવી રહ્યા છે, તે પહેલા ક્યારેય પણ નથી લેવામાં આવ્યા.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:28 am, Fri, 23 August 19