પાકિસ્તાનમાં (Pakistan) ઇમરાન ખાનની શાસક પક્ષના સાંસદ આમિર લિયાકત હુસેને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડેલા આ ટ્વિટ બદલ માફી માંગી. તેના વિશાળ વિરોધ અને કાર્યવાહીની માંગ કર્યા બાદ લઘુમતી હિંદુઓ પ્રત્યેનો અનાદર વ્યક્ત કરતા ટ્વિટને ડિલીટ કર્યું હતું. અને સમગ્ર હિંદુ સમુદાયની માફી માંગી.
આમિર લિયાકત હુસેન ઇમરાન ખાનની શાસક પાર્ટીનો નેતા
જણાવી દઈએ કે પાકિસ્તાનની (Pakistan) તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીનો રાષ્ટ્રીય વિધાનસભાનો સભ્ય છે આમિર લિયાકત હુસેન. હુસેને વિપક્ષી નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની મજાક ઉડાવવા માટે હિંદુ દેવીના ફોટા સાથે ટ્વિટ કરી હતી. આ ને ટ્વીટ બાદ ખુબ મોટો વિવાદ સર્જ્યો હતો.
હુસેન એક જાણીતો ટીવી એન્કર પણ છે અને એક પ્રખ્યાત ધાર્મિક વિદ્વાન તરીકે તેને ઓળખાવામાં આવે છે. પરંતુ આ કૃત્ય દ્વારા તેણે હિન્દુ સમુદાય અને રાજકારણીઓને નિશાન બનાવ્યા હતા. સિંધ પ્રાંતમાં પીટીઆઈના પ્રતિનિધિ રમેશ કુમાર વંકવાનીએ હુસેનના આ ટ્વીટને શરમજનક ગણાવી હતી.
તેમણે કહ્યું, આ પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરી નાખો અન્યથા અમારી પાસે ઈશનિંદા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવાનો અધિકાર છે. સિંધના ઉમરકોટના અન્ય એક હિંદુ નેતા લાલ મલહીએ પણ હુસેનને વખોડી કાઢ્યો હતા અને વડા પ્રધાનને આ બાબત પર ધ્યાન આપવા કહ્યું હતું.