શું હતુ પાકિસ્તાનનું ઓપરેશન જિબ્રાલ્ટર? બદ્દ ઈરાદા સાથે શરૂ કરવામાં આવેલુ એક નિષ્ફળ કાવતરુ?

1965 માં પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન જિબ્રાલ્ટર શરૂ કર્યું. આ ઓપરેશનનો હેતુ સ્થાનિક લોકોને ભારત સરકાર સામે બળવો કરવા માટે ઉશ્કેરવાનો હતો. આ ઓપરેશન હેઠળ, તાલીમ પામેલા પાકિસ્તાની સૈનિકો નાગરિકોના વેશમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) થી ભારતમાં ઘૂસણખોરી કરતા હતા.

શું હતુ પાકિસ્તાનનું ઓપરેશન જિબ્રાલ્ટર? બદ્દ ઈરાદા સાથે શરૂ કરવામાં આવેલુ એક નિષ્ફળ કાવતરુ?
| Updated on: May 19, 2025 | 7:55 PM

દેશવાસીઓ 22 એપ્રિલનો એ ગોજારો દિવસ ક્યારેય નહીં ભૂલી શકે. જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુકાશ્મીરના પહલગામમાં 26 લોકોની ઠંડા કલેજે પોઈન્ટ બ્લેંકથી ધર્મ પૂછી-પૂછીને હત્યા કરી નાખી. જે બાદ ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવીને તેને જડબાતોડ જવાબ આપ્યો અને તેના આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા. એટલુ જ નહીં પાકિસ્તાને વળતો પ્રહાર કરવાની હિમાકત કરી તો તેનો પણ જવાબ આપતા પાકિસ્તાનના 9 થી વધુ ઍરબેઝને નેસ્તનેબૂદ કરી નાખ્યા. જેમા પાકિસ્તાનનું મહત્વપૂર્ણ નૂરખાન ઍરબેઝ પણ સામેલ છે. જો કે વાત અહીંથી નથી અટક્તી. પાકિસ્તાન એક એવો દેશ છે જેના પર ક્યારેય ભરોસો કરી ન શકાય. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ (સીઝફાયર) છે પરંતુ પાકિસ્તાન ફરી કોઈ હરકત નહીં કરે તે શક્ય જ નથી. આજથી નહીં વર્ષોથી પાકિસ્તાન તેની જમીન પર આતંકના બીજ વાવતો રહ્યો છે. 1947ના વિભાજન બાદથી જ પાકિસ્તાને કાશ્મીર કબજે કરવાના હથકંડાઓ શરૂ કરી દીધા હતા. 24 ઓક્ટોબર 1948માં કબાલીયોની ઘૂસણખોરીની સાથે જ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ બહાર આવવા લાગ્યા હતા. વાસ્તવમાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો